Home Gujarat Jamnagar જામનગરના પીપરટોડામાં મકાનની લોનના ટેન્શનમાં યુવાનનો ગળાફાંસો

જામનગરના પીપરટોડામાં મકાનની લોનના ટેન્શનમાં યુવાનનો ગળાફાંસો

0

લાલપુર ના પીપરટોડામાં દરજી કામ કરતા યુવાનનો મકાનની લોન ના ટેન્શન ના ગળાફાંસા દ્વારા આપઘાત

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૧૫ મે ૨૪ જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના પીપરટોડા ગામમાં રહેતા અને દરજી કામ કરતા એક યુવાને પોતાના મકાનની લોનના ટેન્શનમાં ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લઇ પોતાની જીવાદોરી ટૂંકાવી છે.આ બનાવની વિગત એવી છે કે લાલપુર તાલુકાના પીપરટોડા ગામના વતની અને હાલ જામનગર રાજકોટ રોડ પર શિવધારા સોસાયટીમાં રહેતા અને દરજી કામ કરતા બીપીનભાઈ રામજીભાઈ વસોયા નામના ૪૧ વર્ષના પટેલ યુવાને પીપરટોડા ગામમાં આવેલી પોતાની વાડીમાં દોરડું બાંધી ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લીધી હતી.

આ બનાવ અંગે મૃતકના નાના ભાઈ હસમુખભાઈ રામજીભાઈ વસોયાએ પોલીસને જાણ કરતાં લાલપુર પોલીસે ઘટના સ્થળે દોડી જઇ મૃતદેહ નો કબજો સંભાળ્યો હતો, અને પોસ્ટ મોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી હતી.પોલીસમાં જાહેર કરાયા અનુસાર મૃતક બીપીનભાઈ ને ખેતીવાડી હતી, પરંતુ તેઓ દરજી કામ કરતા હતા, અને હાલ ધંધામાં મંદી હતી. દરમિયાન તેણે મકાનની લોન લીધી હતી, જે લોનના ટેન્શનમાં આત્મહત્યાનું પગલું ભરી લીધાનું જણાવાયું હતું, જે મામલે પોલીસ વધુ તપાસ ચલાવે છે.

NO COMMENTS

error: Copying and use of the content of the website is considered as illegal activity.
Exit mobile version