Home Gujarat Jamnagar જામનગર શંકરટેકરીમાં યુવાનને મરવા મજબૂર કરાયો : આપધાતમાં નવો વળાંક

જામનગર શંકરટેકરીમાં યુવાનને મરવા મજબૂર કરાયો : આપધાતમાં નવો વળાંક

0

જામનગરના શંકરટેકરીમાં યુવાનના આપઘાત પ્રકરણમાં નવો વળાંક

  • પાડોશીના ભાભીને યુવક સાથે લગ્ન કરવા હતા, પરંતુ યુવક લગ્ન કરવા તૈયાર ન થતાં આત્મહત્યા કરવા માટે મજબૂર કરાયો
  • યુવતિના પરીવારજનોને ખબર પડી જતાં મારી નાખવાની ધમકી આપવાથી યુવકે આપઘાત કરી લીધો

દેશ દેવી ન્યુઝ જામનગર તા. ૧૮ ઓક્ટોબર ૨૩ જામનગર શહેરના શંકર ટેકરી વિસ્તારમાં રહેતા એક યુવકે ગત તા. ૨૮.૮ ના રોજ પોતાના સસરાના ઘરે આપઘાત કરવાના પ્રકરણમાં નવો વળાંક આવ્યો છે. આ બનાવની વિગત એવી છે કે, જામનગરના શંકર ટેકરી વિસ્તારમાં રહેતી ચંદ્રીકાબેનના લગ્ન ગાંધીનગર જિલ્લાના કલોલ ખાતે રહેતા વિજયભાઈ પ્રવિણભાઈ ચૌહાણ સાથે થયેલ હતા, અને તે તેમના પતિ સાથે કલોલ ખાતે રહેતા હતા.દરમિયાન તેમને ગર્ભ રહી જતાં બંને પતિ-પત્ની જામનગર રહેવા આવી ગયા અને બે દિવસ પછી તેના પતિ વિજયભાઈએ જણાવેલું કે આપણા પાડોશમાં રહેતા કેશવભાઈ કાન્તીભાઈ જાદવની ભાભી લતાબેનને મારા સાથે લગ્ન કરવા છે, પણ મારે તેની સાથે લગ્ન નથી કરવા તેમજ આ વાતની ખબર તેના ઘરવાળાને થઈ જતાં કેશવભાઈ મને ધમકી આપે છે કે ત્યાર બાદ તા. ૨૮.૮૪ ના રોજ વિજયભાઈએ ગળાફાંસો ખાઈ આપઘાત લીધો હતો, અને અમે ઘણા સમયથી શ્ર્વાસની બિમારીથી કંટાળી જઈ આત્મહત્યા કરી હાવાનું પોલીસ સમક્ષ નિવેદન નોંધાવેલું હતું.પરંતુ ત્યાર બાદ હુ મારા પતિ વિજયનો ફોન ચેક કરતાં તેમા એક વિડિયો મળી આવેલો, જે વિડિયોમાં કેશવભાઈ કાંતિલાલ જાદવ અમારા પરિવારને સાફ કરી દેવાની ધમકી આપતા હતા, જેથી તેણીએ સીટી- સી ડીવીઝન પોલીસ મથકમાં કેશવભાઈએ ધમકી આપી મરવા મજબુત કર્યા અંગેની ફરિયાદ નોંધાવતાં પોલીસે આઈ.પી.સી. કલમ ૩૦૬, અને ૫૦૬-૨ મુજબ ગુનો નોંધી વધૂ તપાસ હાથ ધરી છે.

NO COMMENTS

error: Copying and use of the content of the website is considered as illegal activity.
Exit mobile version