Home Gujarat Jamnagar જામનગરમાં દરજી યુવાનનો રહસ્યમય સંજોગોમાં આપઘાત

જામનગરમાં દરજી યુવાનનો રહસ્યમય સંજોગોમાં આપઘાત

0

જામનગરમાં સિદ્ધિવિનાયક પાર્ક વિસ્તારમાં રહેતા દરજી યુવાનનો રહસ્યમય સંજોગોમાં ગળાફાંસા દ્વારા આપઘાત

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૨૨ જુલાઈ ૨૪ જામનગરમાં સિદ્ધિવિનાયક પાર્ક શેરી નંબર- ૭ માં રહેતા અને દરજી કામ કરતા એક યુવાને કોઈ અગમ્ય કારણસર ગળાફાંષા દ્વારા આત્મહત્યા કરી લઈ પોતાની જીવન લીલા સંકેલી લીધી છે. જે મામલે પોલીસ વધુ તપાસ ચલાવે છે.

આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં સિદ્ધિવિનાયક પાર્ક શેરી નંબર સાતમાં રહેતા અને દરજી કામ કરતા નીરવ દિલીપભાઈ માંડલિયા નામના ૨૪ વર્ષના દરજી યુવાને પોતાના ઘેર છતના હુકમાં ચુંદડી બાંધી ગળાફાંસા દ્વારા આપઘાત કરી લીધો હતો.

આ બનાવ અંગે મૃતક ના પિતા દિલીપભાઈ વલ્લભભાઈ માંડલીયાએ પોલીસને જાણ કરતાં સીટીએ. ડિવિઝનના પી.એસ.આઇ. એમ. કે. બ્લોચ તેમજ રાઈટર રાજુભાઈ ચાવડા વગેરે ઘટના સ્થળે પહોંચી ગયા હતા, અને મૃતદેહનો કબજો સંભાળી આ બનાવ મામલે ઊંડાણપૂર્વકની તપાસ શરૂ કરી છે.મૃતક યુવાન એકનો એક પુત્ર અને અપરણિત હતો. જેથી દરજી પરિવારમાં ભારે શોકની લાગણી ફેલાઇ છે.

NO COMMENTS

error: Copying and use of the content of the website is considered as illegal activity.
Exit mobile version