જામનગરની સંસ્થા નવાનગર નેચર ક્લબ દ્વારા આજે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરાઈ
-
શહેરમાં નવા ૧૦૦ વૃક્ષ નું વાવેતર કરાયું: બે વર્ષ માટેની જતનની જવાબદારી પણ સ્વીકારી
દેશ દેવી નયૂઝ જામનગર તા ૫ જૂન ૨૪, આજે ૫ જૂન એટલે કે વિશ્વ પર્યાવરણ દિવસ. એક સ્વચ્છ પર્યાવરમમાં એક સ્વસ્થ મનુષ્યનો વિકાસ થાય છે. પર્યાવરણને સ્વચ્છ રાખવું આપણી પ્રાથમિક જવાબદારી છે.પર્યાવરણની સીધી અસર આપણા જીવન પર પડે છે,પરંતુ આજના સમયમાં ઝડપથી ભાગતા મનુષ્યએ પર્યાવરણને ખતરામાં મુકી દીધુ છે. દુનિયાને આ ખતરાથી માહિતગાર કરાવવા માટે તથા લોકોને પર્યાવરણ પ્રત્યે જાગૃત કરવાના ઉદ્દેશ્યથી દર વર્ષે ૫ જૂને વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવે છે.