Home Gujarat Jamnagar જામનગરમાં પોલીસ ઉપર હુમલાના કેસમાં મહિલાના આગોતરા જામીન

જામનગરમાં પોલીસ ઉપર હુમલાના કેસમાં મહિલાના આગોતરા જામીન

0

જામનગર સીટી-સી પોલીસ સ્ટેશનમાં પોલીસ કર્મચારી ઉપર હુમલો કરી ફરજ રૂકાવટના ગુનામાં આરોપી મહિલાના આગોતરા જામીન મંજુર

યુવા એડવોકેટ નિર્મળસિંહ જાડેજાની ધારદાર દલીલો ધ્યાને લઈ મહિલાને આગોતરા જામીન મંજૂર

દેશ દેવી ન્યુઝ જામનગર: ૮ જુલાઇ ૨૨ જામનગર શહેરમાં ગત તા. 2-3-2022ના રોજ જામનગરના શંકર ટેકરી, સુભાષપરા શેરી નં.રમાં રાજેશ ઉર્ફે રાજુભાઇ કેશુભાઇ વણાથીયા વીરૂઘ્ધ જામનગર સોટી-સી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશન એકટ હેઠળનો ગુનો દાખલ થયેલ હોય અને તેને અટક કરવાનો હોય જેથી જામનગર સીટી-સી ડીવીઝન પોલીસ સ્ટેશનના કર્મચારીને મળેલ બાતમીના આધારે આરોપી રાજેશને પકડવા જતાં તે ઘરેથી મળી આવતા પોલીસ દ્વારા તેને ખાનગી મોટરસાયકલમાં બેસાડી પોલીસ સ્ટેશને લઇ જવા માટેની તજવીજ હાથ ધરાઇ હતીતે દરમ્યાન આરોપી રાજેશભાઇએ બુમો પાડતા રાજેશભાઇના પરિવાજનો વિજય ઉર્ફે વીજલો કેશુભાઇ વરાણીયા, રોહીત ચંદુભાઇ લીંબડ, સીમા વિજય વરાણીયા, જશુબેન, રીટાબેન વગેરે મહિલાઓ સહિતના આરોપીઓએ પોલીસ સ્ટાફ મહેન્દ્રસિંહ જાડેજાની ઢીકાપાટુનો માર મારી અને સાથેના પોલીસ સ્ટાફ સાથે ઝપાઝપી કરી અને ‘રાજુને કેમ લઇ જશો’ તેમ કહી ખાનગી મોટરસાયકલની ચાવી કાઢી લઇ જઇ તથા રાજેશભાઇ વરાણીયાને છોડાવી લઇ પોલીસકર્મચારીની કાયદેસરની સરકાર ફરજમાં રૂકાવટ કરી હતી.આ બનાવ અંગે જામનગર સીટી-સી ડીવીઝન પોલીસ સ્ટેશનના કર્મચારી વિજયભાઇ બળદેવભાઇ કાનાણી દ્વારા આઇપીસી કમલ 143-147-149-186-189-33ર મુજબ ફરીયાદ નોંધાવતા ગુનાની તપાસના કામે તપાસનીશ પોલીસ અધિકારી પોતાની ધરપડક કરશે તેવી દહેશત વ્યકત્ત કરી શીતલબેન કેશુભાઇ વરાણીયા દ્વારા જામનગર સેશન્સ અદાલતમાં આગોતરા જામીન મુકત્ત થવા અરજી કરતા જામનગર પ્રીન્સીપલ ડીસ્ટ્રીકટ એન્ડ સેશન્સ જજ શ્રી વી.જી.ત્રીવેદી દ્વારા શીતલબેનને રૂા.10.000ના આગોતરા જામીન ઉપર મુકત્ત કરવા હુકમ કરેલ છે આરોપી શીતલબેન તરફે વકીલ નિર્મળસિંહ એન. જાડેજા રોકાયા હતા.

NO COMMENTS

error: Copying and use of the content of the website is considered as illegal activity.
Exit mobile version