Home Gujarat Jamnagar જામનગરમાં પત્નિને બળજબરીથી દવા પીવડાવાઇ: પતિ સામે નોંધાઇ ફરિયાદ

જામનગરમાં પત્નિને બળજબરીથી દવા પીવડાવાઇ: પતિ સામે નોંધાઇ ફરિયાદ

0

જામનગરમાં પત્નિને બળજબરીથી દવા પીવડાવાઇ: પતિ સામે નોંધાઇ ફરિયાદ

દેશ દેવી ન્યુઝ જામનગર તા.૨૮ જુલાઇ ૨૩: જામનગરમાં હનુમાન ટેકરી વિસ્તારમાં રહેતી મીનાબેન ભરતભાઈ કંડારીયા નામની 35 વર્ષની મહિલાએ છેલ્લા ચાર વર્ષથી ત્રાસ ગુજારી પોતાને ઝેરી દવા પીવડાવી દેવા અંગે પોતાના પતિ ભરત નારણભાઈ કંટારીયા સામે ફરિયાદ નોંધાવી છે.

પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર તેણીનો પતિ છેલ્લા ચાર વર્ષથી શારીરિક અને માનસિક ત્રાસ આપતો હતો, અને ગત 25મી તારીખે પરાણે ઝેરી દવા પીવડાવી દીધા હતી, આથી તેણી ને જી.જી હોસ્પિટલમાં સારવાર અપાઈ હતી. દરમિયાન ગઈકાલે તેની તબિયતમાં સુધારો થતાં મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે આરોપી પતિ સામે સ્ત્રી અત્યાચાર ધારા હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

NO COMMENTS

error: Copying and use of the content of the website is considered as illegal activity.
Exit mobile version