Home Gujarat Jamnagar જામનગરમાં વિધવા પુત્રવધુ પર સાસરિયાનો સિતમ જેઠ અને સાસુએ ધોકા વડે માર...

જામનગરમાં વિધવા પુત્રવધુ પર સાસરિયાનો સિતમ જેઠ અને સાસુએ ધોકા વડે માર માર્યો

0

જામનગરમાં વિધવા પુત્રવધુ પર સાસરિયાનો સિતમ: જેઠ અને સાસુએ ધોકા વડે માર માર્યો

  • સસરા બિભત્સ માંગણી કરી તેની દિકરીઓને મારી નાખવાની ધમકી આપી હોવાની ફરીયાદ

દેશ દેવી ન્યુઝ જામનગર તા. ૨૪ ઓક્ટોબર ૨૩ જામનગરમાં એક વિધવા મહિલાએ પોતાના સાસુ-સસરા અને જેઠ શારિરીક-માનસિક ત્રાસ આપતા હોવાની ફરિયાદ નેાંધાવી છે.  આ બનાવની વિગત એવી છે કે, જામનગર શહેરના જુના રેલવે સ્ટેશન પાસે ભીમવાસ શેરી નં.૧ માં રહેતા પ્રવિણાબેન અશોકભાઈ જાદવની ફરિયાદ મુજબ તેણીના પતિનું એકાદ વર્ષ પૂર્વે અવસાન થતાં તેણી તેમની ત્રણ દિકરીઓ સાથે રહી ખાનગી શાળામાં કચરા પોતા કરી પોતાનું ગુજરાન ચલાવી રહ્યા છે.દરમિયાન ગત તા. ૨૨.૧૦ ના રોજ સવારના દસ વાગ્યાના અરસામાં નિવેધનો સામાન લઈ ઘરની ડેલી પાસે પહોંચતાં સાસુએ મેણા ટોણા મારી તમે કોઈને શાંતિથી રહેવા દેતા નથી તેમ કહી સાસુ ભાનુબેન જાદવે લાકડાનો ધોકો માથામાં મારેલ હતો.તેમજ જેઠ પ્રકાશભાઈએ વાસામાં, કમરના ભાગે અને હાથ પગમાં ધોકા વડે મારી મુંઢ માર માર્યો હતો. સસરા દેવજીભાઈએ પણ ફરિયાદ કરીશ તો હું એક દિવસમાં છુટી જઈશ, પરંતુ તને હું જીવતી નહી રહેવા દઉ, તેવી ધમકી આપી હતી. તેમજ છ માસ પહેલા તેના સસરાએ રૂમમાં આવી હાથ પકડી તું મને સંતોષ આપીશ તો હું તને બધી સુખ સગવડ આપીશ તેવી બિભત્સ માંગણી કરી આ વાત કોઈને કહીશ તો તને અને તારી દિકરીઓને જાનથી મારી નાખીવાની ધમકી આપ્યા હોવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે.

સમગ્ર બનાવ અંગે તેણીએ સીટી-બી ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે  આઈ.પી. કલમ- ૪૯૮ (એ), ૩૫૪ (સી), ૩૨૩, ૫૦૪, ૫૦૬ (૨), ૧૧૪ તથા જી.પી એક્ટ કલમ-૧૩૫(૧) મુજબ  ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

NO COMMENTS

error: Copying and use of the content of the website is considered as illegal activity.
Exit mobile version