Home Gujarat Jamnagar જામનગર : મારા ઘરમાં આગ કેમ લગાડી તેમ કહી યુવાને તલવાર લઈ...

જામનગર : મારા ઘરમાં આગ કેમ લગાડી તેમ કહી યુવાને તલવાર લઈ દંગલ મચાવ્યું

0

જામનગરમાં મચ્છર નગરમાં એક મકાનમાં રોકડ અને ઘરવખરી સળગાવી નાખનારના ઘરમાં તલવાર વડે નુકસાની પહોંચાડ્યાની વળતી ફરિયાદ

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૭ સપ્ટેમ્બર ર૪ જામનગર ના મચ્છર નગરમાં રહેતા એક યુવાનના ઘરમાં પૈસાની દેતી દેતીના મામલે આગ ચાંપી દઈ રોકડ અને ઘરવખરી સળગાવી નાખવા ના બનાવ બાદ બદલો વળવા માટે આરોપીના મકાનમાં ઘૂસી જઈ તલવાર વડે તોડફોડ કરી નાખવા અંગેની વળતી ફરિયાદ નોંધાવાઇ છે.

આ બનાવની વિગત એવી છે કે જામનગરના મચ્છર નગરમાં રહેતા કિશનભાઇ પાનસુરીયા ના રહેણાંક મકાનમાં બે દિવસ પહેલાં પૈસાની લેતી દેતી ના મામલે હિતરાજસિંહ વાળા તેમજ તેના મિત્ર યશપાલસિંહ વાળાએ મકાનમાં આગ ચાપી દઇ નુકસાન પહોંચાડવા અંગે તેમજ રૂપિયા એક લાખ ૪૫ હજારની રકમ પણ બળી ગઈ હતી, તે અંગેની પોલીસ ફટિયાદ થઈ હતી.
દરમિયાન પૈસાની લેતી દેતિનો જેની સામે મામલો છે, તે કિશન પાનસરીયા કે જે ગઈકાલે ઉસકેરાટમાં આવી જઇ પોતાના મકાનની આગની ઘટનાનો બદલો વાળવાના ભાગરૂપે હિતરાજસિંહ વાળા ના ઘેર પહોંચ્યો હતો, અને તલવાર સાથે દંગલ મચાવ્યા પછી તેમના દરવાજામાં તલવાર ના ઘા માર્યા હતા. તેમ જ એક દિવાલ ઘડિયાળને તોડી નાખી ૨૦,૦૦૦ જેટલું નુકસાન પહોંચાડ્યું હતું, જે મામલે હિતરાજ સિંહ ના પિતા વિક્રમસિંહ નારુભા વાળા પોતાના ઘરમાં તોડફોડ અને નુકસાની પહોંચાડવા અંગે કિશન ગપાનસુરીયા સામે વળતી ફરિયાદ નોંધાવી છે જે મામલે સીટી બે ડિવિઝનના પોલીસ સ્ટાફ વધુ તપાસ કરી રહ્યો છે

NO COMMENTS

error: Copying and use of the content of the website is considered as illegal activity.
Exit mobile version