જામનગર આવતી કાલે ખોડલધામ દ્વારા તૈયાર કરાયેલા ખોડલ માઁ ના રથ નું સ્વાગત અને મહા આરતી બાદ વોર્ડ નાં ૧૫ માં પરિભ્રમણ કરશે
દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૨૬ ડીસેમ્બર ૨૪, ખોડલધામ ટ્રસ્ટ કાગવડ સંચાલિત કેન્સર હોસ્પિટલ અને રિસર્ચ સેન્ટર અંતર્ગત ખોડલ માઁ નો રથ તૈયાર કરવામાં આવ્યો છે, જે આવતીકાલે સવારે જામનગર શહેરના વોર્ડ નાં ૧૫ માં પ્રવેશ કરશે, જ્યાં ભવ્ય સ્વાગત કરીને મહા આરતી કરવામાં આવશે, ત્યારબાદ સમગ્ર વોર્ડ નંબર ૧૫માં પરીભ્રમણ કરશે. જેના માટે તૈયારી ચાલી રહી છે, અને માતાજીના ઠેર – ઠેર વધામણા કરાશે.
જે બન્ને રથ આવતીકાલે શુક્રવાર ને તા ૨૭ ડિસેમ્બરના રોજ વોર્ડ નંબર ૧૫ ના અલગ અલગ વિસ્તારોમાં પરિભ્રમણ કરશે. અને સમગ્ર વોર્ડ નંબર ૧૫ મા માતાજીના ઠેર – ઠેર વધામણા કરાશે.
આવતીકાલે શુક્રવાર ના રોજ શહેરના રણજીત સાગર રોડ પર આવેલા યુવા પાર્ક વિસ્તારમાં સોમનાથ મહાદેવ મંદિરે સવારે ૮.૩૦ વાગ્યે પ્રસ્થાન કરાશે.જેમાં વોર્ડ નંબર ૧૫ માં અલગ અલગ વિસ્તારોમાં ફરશે જેમાં ગ્રીન સિટી, રાધે પાન – રઘુવીર પાર્ક સોસાયટી, અટલ ભવન – આવાસ ,ગરબી ચોક-નીલકંઠ સોસાયટી, સરદાર ચોક – મયુર ટાઉનશીપ કોમન પ્લોટ – ખોડીયાર પાર્ક કોમન પ્લોટ – મયુર બાગ, રાધે ચોક – પંચવટી સોસાયટી,આશીર્વાદ એવન્યુ – મેઈન ગેઇટ, આશીર્વાદ -૨ મેઈન રોડ, ગોરડીયા હનુમાન મંદિર – શ્રીજી પાર્ક, શ્રીનાથજી પાર્ક, મારુતિનંદન, મારુતિ રેસીડેન્સી, સેટેલાઈટ પાર્ક,તુલસી એવન્યુ, સહજાનંદ સોસાયટી પાર્ક, તુલસી એવન્યુ સહજાનંદ સોસાયટી ખાતે સાંજે ૭.૦૦ વાગ્યે પુર્ણાહુતી કરવામાં આવશે.