Home Gujarat Jamnagar જામનગરમાં ક્ષત્રિયાણી દ્વારા સાપ્તાહિક ઉપવાસ આંદોલનનો પ્રારંભ

જામનગરમાં ક્ષત્રિયાણી દ્વારા સાપ્તાહિક ઉપવાસ આંદોલનનો પ્રારંભ

0

જામનગરમાં ક્ષત્રીયાણી દ્વારા આજથી નારી સ્વાભિમાનની લડત ના ભાગ રૂપે સાપ્તાહિક ઉપવાસ આંદોલનનો પ્રારંભ

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૨૨ એપ્રિલ ૨૪ જામનગર શહેરમાં આજથી ક્ષત્રીયાણીઓ દ્વારા નારી સ્વાભિમાન અર્થે લડતનો પુનઃ પ્રારંભ કર્યો છે, અને જામનગરના રાજપૂત સમાજના બહેનો દ્વારા આજથી રાજકોટ ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા ના વિરોધમાં પ્રતિક ઉપવાસનો પ્રારંભ કરી દેવાયો છે. અને પુનઃ લડત શરૂ કરાઇ છે.

રાજકોટ ભાજપના ઉમેદવાર પૂરષોત્તમભાઈ રૂપાલાના વાણી વિલાસ વિરૃદ્ધ ક્ષત્રિય સમાજ દ્વારા ચાલી રહેલું આંદોલન જેમાં હજુ સુધી ભાજપ સરકાર દ્વારા કોઈ નિર્ણય નથી લેવાયો, ત્યારે ક્ષત્રિય સમાજની બહેનો દ્વારા આજે તા.૨૨.૪.૨૦૨૪ ના રોજ જામનગર જિલ્લાના ક્ષત્રિય મહિલા સમિતિ દ્વારા ગત ૧૯ના રોજ મળેલી મિટિંગમાં સંકલન સમિતિ દ્વારા થયલાં સૂચન મુજબ સાપ્તાહિક ઉપવાસ આંદોલન જામનગર માં શરૂ કરાયું છે. અને જિલ્લા પંચાયત સર્કલમાં મહારાણા પ્રતાપજી ની પ્રતિમા નજીક આંદોલનનો પૂન: પ્રારંભ થયો છે.આ તકે ફરી સંકલ્પ કરાયો છે કે આગામી તમામ ચૂંટણીમાં ભાજપ વિરૃદ્ધ મતદાન કરીશું, અને કરાવીશું.

NO COMMENTS

error: Copying and use of the content of the website is considered as illegal activity.
Exit mobile version