Home Gujarat Jamnagar જામનગરમાં ગૌહત્યાના કાયદાનો ભંગ મામલે VHP નું SP ને આવેદન

જામનગરમાં ગૌહત્યાના કાયદાનો ભંગ મામલે VHP નું SP ને આવેદન

0

જામનગર શહેરમાં ગૌહત્યા ના કાયદા તેમજ એનિમલ કૃઅલ્ટી નો ભંગ થતો હોવાની રજૂઆત સાથે વી.એચ.પી.- બજરંગ દળ નું એસપીને આવેદન

વિડિયો જોવા માટે નીચે ક્લિક કરો

દેશ દેવી નયૂઝ જામનગર તા ૨૧ જૂન ૨૪ જામનગર શહેરમાં સરેઆમ ગૌહત્યાના કાયદા નો તેમ જ એનિમલ કૃઅલ્ટી નો ભંગ થઈ રહ્યો છે, તેમ જણાવી વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ ના કાર્યકરો દ્વારા આજે રેલી સ્વરૂપે જિલ્લા પોલીસવડાની કચેરીએ પહોંચી જઈ વિસ્તૃત રજૂઆત કરી વિરોધ દર્શાવ્યો છે, અને આવા તત્વો સામે તાત્કાલિક અસરથી એફઆઇઆર દાખલ કરવાની માંગણી કરવામાં આવી છે.

જામનગરના નાગેશ્વર વિસ્તારમાં તાજેતરમાં એક ભેંસનું કપાયેલું માથું તથા ધડના મૃત દેહના અવસેસ મળી આવ્યા હતા. આ ઉપરાંત શહેરના શંકરટેકરી વિસ્તારમાં પણ માંસના ટુકડા જાહેરમાં જોવા મળ્યા હતા. જેનો આજે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગદળના કાર્યકર્તાઓ દ્વારા વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો હતો. જિલ્લા પોલીસવડાની કચેરીએ આજે બજરંગ દળના કાર્યકરોની ટીમ રેલી સ્વરૂપે પહોંચી હતી, અને જાહેરમાં એનિમલ કૃઅલ્ટી એક્ટ નો સરેઆમ ભંગ કરી રહેલા તત્વ સામે પગલાં લઈ ગુનો દાખલ કરવામાં આવે, તેવી માંગણી કરવામાં આવી છે.

NO COMMENTS

error: Copying and use of the content of the website is considered as illegal activity.
Exit mobile version