Home Gujarat Jamnagar જામનગર ગોકુલનગરમાં વાણંદ પરણીતા અઢી વર્ષના બાળક સાથે ગુમ

જામનગર ગોકુલનગરમાં વાણંદ પરણીતા અઢી વર્ષના બાળક સાથે ગુમ

0

જામનગરમાં ગોકુલનગર વિસ્તારમાંથી મહિલા અને અઢી વર્ષની બાળકી ગુમ થયાની ફરિયાદ

દેશ દેવી ન્યુઝ જામનગર તા.૦૪ મે ૨૩ જામનગરમાં ગોકુલ નગર વિસ્તારમાં રહેતી 27 વર્ષે એક પરણીતા પોતાની અઢી વર્ષની પુત્રી સાથે એકાએક લાપતા બની જતાં પરિવારજનો દ્વારા સીટી સી. ડિવિઝન પોલીસમાં ગુમ નોંધ કરાવવામાં આવી છે, અને માતા પુત્રી ની શોધખોળ ચલાવવામાં આવી રહી છે. જામનગરમાં ગોકુલ નગર સાયોના શેરી નંબર -2 માં રહેતા અને વાળંદ કામ કરતા અશોકભાઈ દામજીભાઈ બગથરીયા નામના 36 વર્ષના યુવાને જામનગરના સીટી સી. ડિવિઝન પોલીસમાં પોતાની પત્ની નિશાબેન (ઉંમર વર્ષ 27) અને પુત્રી સોનાલીબેન (અઢી વર્ષ) કે જેઓ પોતાના ઘેરથી એકાએક 1 તારીખે નીકળ્યા પછી લાપતા બની ગયા હોવાની જાહેરાત કરી છે. પોલીસ દ્વારા નિશાબેન અને પુત્રી સોનાલી ની ગુમ નોંધ કરી તેઓની શોધખોળ ચલાવવામાં આવી રહી છે. નિશાબેન પાતળા બાંધાની છે, અને તેણીએ જમણા હાથના પોંચા પર ઓમ ત્રોફાવેલું છે, જ્યારે લાલ કલરની સાડી પહેરેલી છે. અને તેણી ગુજરાતી ભાષા જાણે છે. જે અંગેની કોઈને જાણકારી હોય તો સીટી સી. ડિવિઝન પોલીસ સ્ટેશનમાં એમ. એમ. જાડેજા નો સંપર્ક સાધવા એક યાદીમાં જણાવાયું છે.

NO COMMENTS

error: Copying and use of the content of the website is considered as illegal activity.
Exit mobile version