Home Gujarat Jamnagar જામનગર જીલ્લાના વધુ બે બુટલેગર ‘પાસા’ના પાંજરે પુરાયા : નામીચા માથે લટકતી...

જામનગર જીલ્લાના વધુ બે બુટલેગર ‘પાસા’ના પાંજરે પુરાયા : નામીચા માથે લટકતી તલવાર

0

જામનગર જીલ્લાના વધુ બે બુટલેગર ‘પાસા’ના પાંજરે પુરાયા

શહેરમાં ગુનાહીત પ્રવૃતિ સાથે સંકળાયેલા નામીચા શખ્સો માથે લટકતી તલવાર: ઘાણવો નિકળશે : ગુનેગારોમાં જોરશોર ચર્ચાં હવે કોની વારી : ફફડાટદેશ દેવી ન્યુઝ જામનગર 23.જામનગર પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ દ્વારા શહેર અને જિલ્લામાં રહેલા બુટલેગરો તથા માથાભારે ગુનાહિત પ્રવૃત્તિમાં સંડોવાયેલા શખ્સો વિરૂધ્ધ કડક કાર્યવાહી અંતર્ગત પાસા હેઠળ ગુના નોંધી કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ કાર્યવાહીમાં જામનગર શહેરમાં રણજીતસાગર રોડ પર કીર્તિ પાન વાલી શેરીમાં પ્રણામીનગરમાં રહેતાં મહાવીરસિંહ દેવાજી જાડેજા નામના શખ્સ વિરૂધ્ધ પ્રોહિબીશન અને મારામારી તથા પોલીસની ફરજમાં રૂકાવટ સહિતના એક ડઝન ગુના નોંધાયા છે અને રણજીતસાગર રોડ પર મારૂ કંસારા હોલ સામે આવેલા ન્યુ નવાનગર સોસાયટીમાં રહેતા જયરાજસિંહ મહિપતસિંહ સોઢા નામના શખ્સ વિરૂધ્ધ પ્રોહિબીશનના ચાર ગુનાઓ નોંધાયા છે. આ બન્ને શખ્સો વિરુધ્ધ એલસીબીએ કરેલી પાસાની દરખાસ્ત જિલ્લા કલેકટરે મંજૂર કરી હતી.જેથી એલસીબીના પીઆઇ કે.કે. ગોહિલ સૂચનાથી સ્ટાફે બન્નેની ધરપકડ કરી મહાવીરસિંહ જાડેજાને વડોદરા મધ્યસ્થ જેલમાં અને જયરાજસિંહ સોઢાને સુરત લાજપોર મધ્યસ્થ જેલમાં ધકેલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

NO COMMENTS

error: Copying and use of the content of the website is considered as illegal activity.
Exit mobile version