Home Gujarat Jamnagar જામનગરમાં ચાલુ વરસાદે વીજ શોક લાગતાં બે ગાયના મૃત્યુ

જામનગરમાં ચાલુ વરસાદે વીજ શોક લાગતાં બે ગાયના મૃત્યુ

0

જામનગરના ધરાર નગર વિસ્તારમાં ચાલુ વરસાદે વીજ શોક લાગતાં બે ગાયના મૃત્યુ

દેશ દેવી ન્યૂઝ જામનગર ૨૨ જુલાઈ ૨૪, જામનગર શહેરમાં વરસાદી સીઝનમાં વીજ તંત્રની બેદરકારી વધુ એક વખત સામે આવી છે, અને બે મૂંગા અબોલ પશુઓ એ જીવ ગુમાવ્યા છે.જામનગરના ધરાર નગર વિસ્તારમાં ગઈકાલે સાંજે ચાલુ વરસાદ દરમિયાન એક વીજ થાંભલા માંથી બે ગાયને વિજશોક લાગ્યા હતા, અને બંને ગાયોના સ્થળ પર જ મૃત્યુ નીપજ્યા હતા.

સ્થાનિકોએ વિજ તંત્રને જાણ કરતાં વીજ ટુકડી બનાવના સ્થળે પહોંચી હતી, અને વીજપોલમાંથી પસાર થતો વીજ પ્રવાહ અટકાવ્યો હતો. આ બનાવને લઈને ગૌ પ્રેમીઓમાં ભારે કચવાટ જોવા મળી રહ્યો છે. જામનગર મહાનગરપાલિકાની ટીમ દ્વારા મૃત ગાય ની અંતિમ વિધિ કરવામાં આવી હતી.

NO COMMENTS

error: Copying and use of the content of the website is considered as illegal activity.
Exit mobile version