Home Gujarat Jamnagar જામનગરમાં સુવિખ્યાત જલાની જારની ૩૨૧ વર્ષ જુની ગરબીમાં આવતી કાલે ઈશ્વર વિવાહનું...

જામનગરમાં સુવિખ્યાત જલાની જારની ૩૨૧ વર્ષ જુની ગરબીમાં આવતી કાલે ઈશ્વર વિવાહનું આયોજન

0

જામનગર મા સુવિખ્યાત જલાની જારની ૩૨૧ વર્ષ જુની ગરબીમાં આવતી કાલે ઈશ્વર વિવાહનું આયોજન

દેશ દેવી ન્યૂઝ જામનગર તા. ૮ ઓકટોબર ૨૪, જામનગર શહેરમાં જલાની જારના ચોકની ગરબી પ્રાચીન ગરબી છે, જ્યાં આજ સુધી આધુનિક્તાનો સ્પર્શ થયો નથી. આ ગરબીમાં લાઉડ સ્પીકર નહીં, સંગીતના કોઈ વાજીંત્રો નહીં, માત્ર ને માત્ર નોબત ના તાલે પુરુષો દ્વારા ગરબા લેવાય છે. પુરુષો લાલ-પીળા-કેશરી, અબોટિયા પહેરીને અહીં માતાજીના ગુણગાન ગાય છે.

જલાની જારના ચોકની આ ગરબીમાં ૩ર૧ વર્ષથી પરંપરાગત્ રીતે એકપણ ક્ષણના વિરામ વગર સતત સાડાત્રણ કલાક સુધી સ્વકંઠે ઈશ્વર વિવાહ ગવાય છે અને એક અલગ જ સ્ટાઈલના સ્ટેપ્સ સાથે રમવામાં આવે છે.

આ વર્ષે તા. ૦૯-૧૦-ર૦ર૪ ના આસો સુદ સાતમના રાત્રે ૧ર-૩૦ વાગ્યાથી કવિ દેવીદાસ રચિત ઈશ્વર વિવાહનો કાર્યક્રમ યોજાશે. આ ઈશ્વર વિવાહની એક અલગ ખૂબી છે કે તેની એક-એક પંક્તિ ચાર-ચાર વખત ગાવામાં આવે છે. દર વર્ષે અહીંના ઈશ્વર વિવાહને સાંભળવા-નિહાળવા ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિકો, નગરજનો ઉમટી પડે છે.

NO COMMENTS

error: Copying and use of the content of the website is considered as illegal activity.
Exit mobile version