Home Gujarat Jamnagar જામનગરના ખીમરાણામાં મહંતને પતાવી દેવાની ધમકીથી ભારે ચકચાર: સામસામી ફરિયાદ

જામનગરના ખીમરાણામાં મહંતને પતાવી દેવાની ધમકીથી ભારે ચકચાર: સામસામી ફરિયાદ

0

જામનગરના ખીમરાણાના મહાદેવ મંદિરના પુજારી પર હુમલો

  • પૂજા કરવા આવેલા શખ્સે ધમકી આપી હુમલો કર્યો, પોલીસે ફરિયાદના આધારે તપાસ આદરી

દેશ દેવી ન્યુઝ જામનગર : ૨૧ સપ્ટેમ્બર ૨૩ જામનગર તાલુકાના ખીમરાણા ગામમાં આવેલા ખીમેશ્વર મહાદેવ મંદિરે મંગળવારે બપોરના સમયે ગામમાં રહેતાં બ્રાસપાર્ટનો ધંધો કરતો દિનેશ શાંતિભાઈ ધારવીયા નામના યુવાન મંદિરે પૂજા કરવા ગયા હતો તે દરમિયાન પૂજારી કર્ણદેવસિંહ ઉર્ફે કરણસિંહ પ્રવિણસિંહ જાડેજાએ દિનેશને કહેલ કે તમારે પૂજા કરવામાં વાર લાગે છે તેમ કહી અપશબ્દો બોલી મંદિરમાં લાકડાના ધોકા વડે માર મારી ઈજા પહોંચાડી હતી. પૂજારી દ્વારા કરાયેલા હુમલાની દિનેશભાઈ દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી.જ્યારે સામાપક્ષી કર્ણદેવસિંહે દિનેશ શાંતિલાલ વિરૂધ્ધ મંગળવારે બપોરે મંદિરે પૂજા કરવા આવ્યા હતાં ત્યારે પૂજા કરવામાં કેટલો સમય લાગશે ?તેમ પૂછતા દિનેશે ઉશ્કેરાઈને અપશબ્દો બોલી ડોલ વડે માર મારી પતાવી દેવાની ધમકી આપી હતી. પૂજારી ઉપર ડોલ વડે માર મારી અપશબ્દો બોલી પતાવી દેવાની ધમકી આપ્યાના બનાવમાં પોલીસ હેડ કોસ્ટેબલ એચ.જી. જાડેજા તથા સ્ટાફે કર્ણદેવસિંહના નિવેદનના આધારે દિનેશ વિરૂધ્ધ સામી ફરિયાદ નોંધી તપાસ આરંભી હતી.

NO COMMENTS

error: Copying and use of the content of the website is considered as illegal activity.
Exit mobile version