Home Gujarat Jamnagar જામનગરના સેતાવાડમાં થઈ ધોકાવારી: પ૮ વર્ષીય પ્રૌઢા ઉપર ત્રણ શખ્સનો હીચકારો હુમલો:...

જામનગરના સેતાવાડમાં થઈ ધોકાવારી: પ૮ વર્ષીય પ્રૌઢા ઉપર ત્રણ શખ્સનો હીચકારો હુમલો: હાલત ગંભીર

0

જામનગરના પ્રૌઢા ઉપર ત્રણ શખ્સનો હિચકારો હુમલો

દેશ દેવી ન્યુઝ નેટવર્ક જામનગર: જામનગરના સેતાવાડમાં રહેતા હરમીતાબેન રાઠોડ (ઉ.વ.58) રાત્રીના સમયે ઘરે હતા ત્યારે બાજુના ફલેટવાળા મુકેશ તથા અન્ય ત્રણ અજાણ્યા શખ્સોએ કોઇ કારણથી બોલાચાલી કરીને લોખંડના પાઇપ વડે માર માર્યો હતો.

જેને શરીરમાં ગંભીર ઇજા પહોંચતા પ્રથમ જામનગર અને વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવેલ હતા.જયા તેઓની હાલત ગંભીર હોવાનું મનાઇ રહ્યું છે.

જે અંગેની વધુ તપાસ જામનગર એ ડીવીઝન પોલીસે ચાલુ કરેલ હતી.

 

NO COMMENTS

error: Copying and use of the content of the website is considered as illegal activity.
Exit mobile version