Home Gujarat Jamnagar જામનગરના ગ્રેઇન માર્કેટમાં થયેલ અડધા લાખની ચોરીનો ભેદ ઉકેલાયો

જામનગરના ગ્રેઇન માર્કેટમાં થયેલ અડધા લાખની ચોરીનો ભેદ ઉકેલાયો

0

જામનગરમાં ગ્રેઇન માર્કેટ વિસ્તારમાં ધોળે દહાડે અડધા લાખની રોકડ રકમની થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો એક તસ્કરની અટકાયત

  • સીટી-બી ડિવિઝન પોલિસ સ્ટેશન સર્વેલન્સ સ્કોર્ડના ક્રિપાલસિંહ સોઢા અને જયદીપસિંહ જાડેજા ની ખાનગી બાતમી

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૧૩ ફેબ્રુઆરી ૨૫, જામનગર માં ગ્રેઈન માર્કેટમાં એક દુકાનમાંથી ધોળે દહાડે થયેલી રૂપિયા ૪૯,૫૦૦ ની રોકડ રકમની ચોરી અંગે ની ફરિયાદ પોલીસમાં નોંધાવાઈ હતી. જે ચોરી કરનાર તસ્કરને પોલીસે ઝડપી લીધો છે, અને તેની પાસેથી રોકડ રકમ તથા પાસબુક કબજે કર્યા છે.જામનગરના ગ્રેઈન માર્કેટ વિસ્તારમાં અનાજ કરિયાણાની દુકાન ધરાવતા મુકેશભાઈ ખીમજીભાઈ વાંસજાળીયા ની દુકાનમાંથી ધોળે દહાડે રૂપિયા ૪૯,૫૦૦ ની રોકડ રકમની ચોરી થઈ હતી. જે અંગે સીટી બી. ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવાઈ હતી.ચોરીનો ભેદ ઉકેલાઈ ગયો છે. અને સિટી બી ડિવિઝન પોલીસે ગીતા લોજ પાસેથી કમલેશ ભીખુભાઈ પિત્રોડા નામના લુહાર શખ્સ ને ઝડપી લીધો છે, અને તેની પાસેથી રૂપિયા ૪૯,૫૦૦ ની રોકડ રકમ અને મુકેશભાઈ વાંસજાળીયા ના નામની બેંકની પાસબુક કબજે કરી લીધી છે.

NO COMMENTS

error: Copying and use of the content of the website is considered as illegal activity.
Exit mobile version