Home Gujarat Jamnagar જામનગરની યુવતિને ઘરમાંથી કાઢી મુકતા પોરબંદરના આખા પરિવારનો હાઇડો.

જામનગરની યુવતિને ઘરમાંથી કાઢી મુકતા પોરબંદરના આખા પરિવારનો હાઇડો.

0

જામનગરની યુવતિને ઘરમાંથી કાઢી મુકતા દહેજ ભૂખ્યા સાસરિયાઓ સામે ફરિયાદ

દેશ દેવી ન્યુઝ નેટવર્ક જામનગર ૦૬ જામનગરના નીલકમલ સોસાયટી શેરી નંબર -1 માં રહેતી અંકિતાબેન સુભાષભાઈ ઝાલા નામની યુવતીના લગ્ન પોરબંદરમાં રહેતા નિલેશ અરવિંદભાઈ નાંઢા સાથે થયા હતા .જ્યાં લગ્નની શરૂઆત થી જ અંકિતાબેન ને સાસરિયાઓ દ્વારા નાની નાની બાબતોમાં વાંક કાઢી ને મારકૂટ કરવામાં આવતી હતી.તેમજ માવતર થી કરિયાવર લઇ આપવાની માગણી સાથે પહેરેલા કપડે ઘરમાંથી હાંકી કાઢી હતી. જેથી અંકિતાબેન જામનગર પોતાના માવતરે આવી ગઈ હતી .અને પોતાના દહેજભૂખ્યા સાસરિયાંઓ પતિ નિલેશ અરવિંદભાઈ નાંઢા , સાસુ સરોજબેન અરવિંદભાઈ નાંઢા , સસરા અરવિંદભાઈ છગનભાઈ , દિયર આનંદ અરવિંદભાઈ અને નણંદ સીમાબેન રાહુલભાઈ રાણીગા ( રે. તમામ પોરબંદર ) સામે ફરીયાદ નોંધાવતા પોલીસે દહેજ પ્રતિબંધક ધારા અંગેની કલમ હેઠળ ગુનો નોંધી તપાસનો દોર પોરબંદર સુધી લંબાવ્યો છે.

NO COMMENTS

error: Copying and use of the content of the website is considered as illegal activity.
Exit mobile version