Home Devbhumi Dwarka ખંભાળિયાની અપરણિત યુવતીએ ગળાફાંસો ખાઈને જિંદગી ટૂંકાવી

ખંભાળિયાની અપરણિત યુવતીએ ગળાફાંસો ખાઈને જિંદગી ટૂંકાવી

0

ખંભાળિયાની અપરિણીત યુવતીએ ગળાફાંસો ખાઈને જિંદગી ટૂંકાવી

દેશ દેવી ન્યુઝ ખંભાળિયા: ખંભાળિયામાં એક યુવતિએ પરિવાર દ્વારા લગ્ન કરવા માટે કરાયેલા દબાણના કારણે આપઘાત કરી લીધાનું જાહેર થયું છે. ખંભાળિયાના હરસિદ્ધિ નગર વિસ્તારમાં રહેતી દક્ષાબેન વસંતભાઈ ધરમશીભાઈ લાઠીયા નામની 27 વર્ષની અપરિણીત યુવતીએ ગઈકાલે ગુરુવારે પોતાના ઘરે રૂમમાં પંખામાં દુપટ્ટા વડે ગળાફાંસો ખાઇ લેતા તેનીનો નિષ્પ્રાણ દેહ સાંપડ્યો હતો.

મૃતક દક્ષાબેનને કોઈ સાથે લગ્ન કરવા ન હોય, પરંતુ તેમના ઘરના સદસ્યો તેણીને લગ્ન કરવાનું કહેતા આ બાબત મનમાં લાગી આવતા તેણીએ આ પગલું ભર્યું હોવાનું મૃતકના માતા નયનાબેન વસંતભાઈ લાઠીયાએ પોલીસમાં જાહેર કર્યું છે. જે અંગે પોલીસે જરૂરી નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

NO COMMENTS

error: Copying and use of the content of the website is considered as illegal activity.
Exit mobile version