Home Gujarat Jamnagar જામનગર લાખોટામાં ઝંપલાવનાર વૃદ્ધા તરવૈયા નિકળ્યા

જામનગર લાખોટામાં ઝંપલાવનાર વૃદ્ધા તરવૈયા નિકળ્યા

0

લાખોટા તળાવમાં ઝંપલાવનાર મહિલાનું રેસ્ક્યુ કરતી ફાયર બ્રિગેડ

દેશ દેવી ન્યુઝ જામગનર તા.૨૮ ઓગસ્ટ ૨૩ જામનગરના શંકર ટેકરી વિસ્તારમાં રહેતા હંસાબા જાડેજા નામના 65 વર્ષના વૃદ્ધ મહિલા કે જેઓ માનસિક સમતુલા ગુમાવી બેઠા છે. તેઓએ આજે સવારે 7.30 વાગ્યાના અરસામાં તળાવની પાળે આવ્યા પછી તળાવના પાણીમાં ઝંપલાવી દીધું હતું. આ બનાવ સમયે તળાવની પાળે હાજર રહેલી વ્યક્તિએ તરત ફાયર શાખાને જાણ કરતાં ફાયર શાખાની ટીમના ભરત જેઠવા, જયંતીભાઈ સિંધવ અને ભરત ગોહેલ વગેરે ઘટના સ્થળે દોડી ગયા હતા, અને પાણીમાં ઝંપલાવી દઇ વૃદ્ધ મહિલાને પાણીમાંથી જીવીત બહાર કાઢી લીધા હતા.

વૃદ્ધ મહિલા ને પાણીમાં તરતાં આવડતું હોવાથી તેઓએ ઝંપલાવ્યા પછી તરતાં તરતાં તળાવની મધ્યમાં ચાલ્યા ગયા હતા. દરમિયાન પાછળથી ફાયર બ્રિગેડની ટુકડી એ પણ ઝંપલાવી દીધું હતું, અને લાઈફ જેકેટ સાથે પાણીમાં પહોંચી જઈ વૃદ્ધ મહિલા ફિલ્મી ઢબે પીછો કરી લાઈફ જેકેટના સહારે બહાર ખેંચી લીધા હતા. ત્યારબાદ 108 ની ટીમને ઘટના સ્થળે બોલાવી લઇ સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં પહોંચાડ્યા છે.

NO COMMENTS

error: Copying and use of the content of the website is considered as illegal activity.
Exit mobile version