Home Gujarat Jamnagar જામનગરમાં “ધ કેરેલા સ્ટોરી” પરિણીત મુસ્લિમે હિન્દુ નામ રાખી યુવતીને હવસનો શિકાર...

જામનગરમાં “ધ કેરેલા સ્ટોરી” પરિણીત મુસ્લિમે હિન્દુ નામ રાખી યુવતીને હવસનો શિકાર બનાવી

0

જામનગરમાં ”લવજેહાદ” પરિણીત મુસ્લિમે હિન્દુ નામ રાખીને યુવતીનું‎ શારીરિક શોષણ કર્યુ‎

  •  યુવતિ હપ્તે AC લેવા મોલમાં ગઈ ત્યા વિર્ધમી નોકરી કરતો હતો : મોબાઈલ નંબર મેળવી ડોક્યુમેન્ટ જમા કરાવાના બહાને પરીચય કેળવ્યો.
  •  હિન્દુ તરીકેની ઓળખ આપી પ્રેમજાળમાં ફસાવી શારીરિક શોષણ કર્યું.
  • સૈફુલાખાન આરીફખાન લોહાણી નામનો વિર્ધમી અગાઉથી પરણિત હતો છતાં હિન્દુ નામ ધારણ કરી પોતાની હવસ સંતોષી.
  • જેલમાં રહેલા સૈફુલાખાન આરીફખાન લોહાણીએ જામીન પર છૂટવા માટે અરજી કરી હતી: યુવતિ દ્વારા વિધર્મી યુવકની જામીનનો વિરોધ કરી લવજેહાદની ગાથા કોર્ટને વર્ણવી

દેશ દેવી ન્યુઝ જામનગર તા.૦૯ મે ૨૩ જામનગર રણજીત રોડ નદીપામાં રહેતો અને ખોડીયાર કોલોની પાસેના મોલમાં નોકરી કરતો સૈફુલાખાન આરીફખાન લોહાણી નામના વિર્ધમી યુવાને હિન્દુ નામ ધારણ કરી હિન્દુ યુવતિને પ્રેમજાળમાં ફસાવી હવસનો શિકાર બનાવી અત્યંત પીડા જન્માવે તેવો કિસ્સો સામે આવતા જામનગર સહિત ગુજરાત ભારે ચકચાર મચી છે.

હાલ ભારતભરમાં હાલ “ધ કેરેલા સ્ટોરી” નામની ફિલ્મની ચોતરફે ચર્ચાઓ ચાલી રહી છે, આ ફિલ્મમાં લવ જેહાદનો મુદ્દો ઉઠાવવામાં આવ્યેા છે, આવો જ કિસ્સો જામનગરમાં બનતા ભારે ખળભળાટ મચી ગયો છે. ચોંકાવનારી બાબત તો એ છે કે, વિધર્મીએ હિન્દુ બનીને યુવતિને ફસાવી અને તેનું સતત શારીરિક શોષણ કર્યુ ત્યાં સુધી કે, યુવતિને આની ખબર ન પડી, યુવતિને ખબર પડી જતાં તે ભાંગી પડી હતી અને વિધર્મી સામે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે પણ ગુપ્તરાહે કાર્યવાહી કરી તેને જેલ હવાલે કર્યાે છે,

જામનગર શહેરના પોશ વિસ્તારમાં રહેતી હિન્દુ પરીવારની 22 વર્ષીય યુવતિને ખોટા નામ ધારણ કરી હિન્દુ બનીને વિધર્મી સૈફુલાખાન આરીફખાન લોહાણી નામના શખસે વિશ્વાસમાં લઇ પ્રેમસંબંધ બાંધેલો અને હિન્દુ જ્ઞાતિના રીવાજ મુજબ ખોટા લગ્નની વીધી પણ કરેલી તે પછી તેની સાથે શારીરીક સંબંધ બનાવ્યો છે. પોતે હિન્દુ હોવાની ઓળખ આપી તેના ખોટા આધાર-પૂરાવા બનાવી યુવતિને વિશ્વાસમાં લીધી હતી, આ બાદ યુવતિને જાણ થઇ હતી કે, તે વિધર્મી છે તો યુવતિ પર આભ ફાટી પડયું હતું, પરંતુ તેને ફરી યુવતિને વિશ્વાસમાં લઇ પોતે હિન્દુ ધર્મ અંગીકાર કરી લેશે તેમ કહી અવાર-નવાર સૈફુલાખાન આરીફખાન લોહાણીએ ફરી શોષણ કર્યુ, આ બાદ તે યુવતિ સાથે પતિ-પત્ની તરીકે રહેવા લાગ્યો હતો.

થોડા સમય બાદ યુવતિને જાણ થઇ કે તે વિધર્મી યુવક પરિણીત છે, જેથી યુવતિએ તરત જ તેનું ઘર છોડી દીધું હતું, આ આખું ષડયત્રના ભાગરૂપે કરવામાં આવ્યું હતું, જેથી યુવતિ ભાંગી પડી હતી અને તેના પરીવારને જાણ થતાં જ તેઓએ આ સૈફુલાખાન આરીફખાન લોહાણી સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી, જેને પોલીસ દ્વારા અત્યંત ગુપ્તરાહે રાખવામાં આવી હતી અને સૈફુલાખાન આરીફખાન લોહાણી નામના વિધર્મીને પકડીને જેલમાં પણ ધકેલી દીધો છે. પરંતુ આ ચકચારી પ્રકરણ બહાર ન આવે તે માટે પોલીસ દ્વારા પુરતી મહેનત અને કવાયત કરવામાં આવી હતી. પરંતુ જામનગરનો આ લવજેહાદનો કિસ્સો બહાર આવતા જ ભારે ખળભળાટ મચી જવા પામી છે.

NO COMMENTS

error: Copying and use of the content of the website is considered as illegal activity.
Exit mobile version