Home Gujarat Jamnagar જામનગરની આવાસ કોલોનીમાં પ્રેમીકાએ લગ્નની ના પાડતા યુવકે ભર્યુ અંતિમ પગલું

જામનગરની આવાસ કોલોનીમાં પ્રેમીકાએ લગ્નની ના પાડતા યુવકે ભર્યુ અંતિમ પગલું

0

જામનગર અંધાશ્રમ આવાસ કોલોનીમાં યુવાનની આત્મહત્યા : ચકચાર

પ્રેમીકાએ લગ્નની  “ના”  પાડતા યુવકે ભર્યુ અંતિમ પગલું

દેશ દેવી ન્યુઝ નેટવર્ક જામનગર: જામનગર શહેરનાં અંધાશ્રમ આવાસ કોલોનીમાં રહેતાં યુવકને યુવતી સાથે પ્રેમ સંબંધ હતો અને તેની પ્રેમિકાએ હાલમાં લગ્ન કરવાની ના પાડતા મનમાં લાગી આવતા તેના ઘરે લોખંડના પાઇપમાં ચૂંદડી વડે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કર્યાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.

જામનગર શહેરના અંધાશ્રમ આવાસમાં બ્લોક નં.84 અને રૂમ નં.11 માં રહેતાં અભય અનિલભાઈ નિમાવત (ઉ.વ.23) નામના યુવકને એક યુવતી સાથે પ્રેમ સંબંધ હતો અને આ પ્રેમ સંબંધમાં યુવતીએ હાલમાં લગ્ન કરવાની ના પાડતા મનમાં લાગી આવતાં અભયે શુક્રવારે સાંજના સમયે તેના ઘરે પંખાના લોખંડના પાઈપમાં ચૂંદડી વડે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી.

આ બનાવ અંગે મૃતકની માતા રંજનબેન દ્વારા જાણ કરાતા હેકો એસ.એચ. જાડેજા તથા સ્ટાફે સ્થળ પર પહોંચી જઈ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી વધુ તપાસ હાથ ધરી હતી.

NO COMMENTS

error: Copying and use of the content of the website is considered as illegal activity.
Exit mobile version