જામનગર જિલ્લા ની ત્રણ નગર પાલિકા ની સામાન્ય ચૂંટણીની મત ગણતરી નો તખ્તો તૈયાર
-
જામજોધપુર માં ૫૮.૧૨ ટકા : ધ્રોલ માં ૬૮.૦૫ ટકા અને કાલાવડ માં ૬૩.૧૬ ટકા મતદાન થયુ હતું
દેશ દેવી ન્યૂઝ જામનગર તા. ૧૭ ફેબ્રુઆરી, ૨૫ , જામનગર જિલ્લાની ત્રણ નગરપાલિકાઓમાં રવિવારે સામાન્ય ચૂંટણી યોજાઈ હતી જેમાં સરેરાશ ૬૩ ટકા જેટલું મતદાન થયું હતું. આ સાથે જ તાલુકા પંચાયત ની જામ વણથલી બેઠક ની પેટા ચૂંટણી પણ યોજાઈ હતી. જેમાં સરેરાશ ૪૩.૯૪ ટકા મતદાન થયું હતું. હવે મંગળવારે મતગણતરી હાથ ધરવામાં આવનાર છે. રાજ્ય ભર મા અનેક નગરપાલિકાઓ ની સામાન્ય ચૂંટણી તેમજ પંચાયત ની અમુક બેઠક ની પેટા ચૂંટણીઓ યોજાઈ હતી. જેમાં જામનગર જિલ્લા ની પણ ત્રણ નગરપાલિકા ની સામાન્ય ચૂંટણી અને તાલુકા પંચાયત ની એક બેઠક ની પેટા ચૂંટણી યોજાઈ હતી.જામજોધપુર નગરપાલિકા ની સાત વોર્ડ ની ૨૮ બેઠક માટે યોજાયેલી ચૂંટણી માં રવિવારે ૫૮.૧૨ ટકા જેટલું મતદાન થયું હતું.