Home Gujarat Jamnagar નવાગામ ઘેડ વિસ્તારમાં હુમલાનો બનાવ હત્યામાં પલટાયો

નવાગામ ઘેડ વિસ્તારમાં હુમલાનો બનાવ હત્યામાં પલટાયો

0

જામનગરના નવાગામ ઘેડ વિસ્તારમાં હુમલાનો બનાવ હત્યામાં પલટાયો

છરી વડે કરાયેલે હુમલો યુવાન માટે જીવલેણ સાબિત થયો, સારવારમાં યુવાનનું મોતદેશ દેવી ન્યુઝ જામનગર 06. જામનગર શહેરમાં નવાગામ ઘેડ વિસ્તારમાં આવેલી ઇન્દિરા સોસાયટીમાં રહેતાં કિશોરભાઇ બાબુભાઇ આડેસરા (ઉ.વ.45) નામના યુવાન ઉપર ગત તા.3ના શુક્રવારે સવારના સમયે ધુવાવ હાઉસિંગ બોર્ડ વિસ્તારમાં હેમેન્દ્ર ઉર્ફે હેમત મહારાજ ડાયાલાલ સીયાણી નામના શખ્સે કિશોર ઉપર હુમલો કરી પેટમાં તથા છાતીના ભાગે ઢીકા પાટુંનો માર મારતા ફેફસામાં ગંભીર ઇજાઓ પહોંચી હતી. ત્યારબાદ ઘવાયેલા યુવાનને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.જયાં ઘાયલ કિશોરભાઇનું મોત નિપજતાં બનાવ હત્યામાં પલટાયો હતો. આ અંગેની મૃતકના ભાઇ ગોવિંદ આડેસરા દ્વારા જાણ કરાતા પીએસઆઇ એમ.આર.સવસેટા તથા સ્ટાફે મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી હેમેન્દ્ર વિરૂઘ્ધ હત્યાનો ગુનો નોંધી તપાસ આરંભી હતી.

NO COMMENTS

error: Copying and use of the content of the website is considered as illegal activity.
Exit mobile version