Home Gujarat Jamnagar ધ્રોલમાં બે પોલીસમેનનો આતંક : માસ્ક જેવી ક્ષુલ્લક બાબતમાં વેપારીને ઢોર માર...

ધ્રોલમાં બે પોલીસમેનનો આતંક : માસ્ક જેવી ક્ષુલ્લક બાબતમાં વેપારીને ઢોર માર મારતા : વેપારીઓમાં રોષ : બંધનું એલાન.

0

પોલીસના પાશવી દમનથી વેપારીઓમાં હાહાકાર આજે ધ્રોલ બંધનું એલાન.

માસ્ક જેવી બાબતે દરબાર વેપારીને માર માર્યાના સમાચાર વહેતા થતાં સમગ્ર ગરાસીયા સમાજમાં રોષ ફાટી નીકળ્યો છે.!

માસ્ક જેવી ક્ષ૯લુક બાબતે વેપારીને  ઢોર માર માર્યો, આવું તો ઘણી વાર બની ગયું છે આ ત્રાસ રોજનો છે.

વેપારીઓએ રોષ ઠાલવતા જણાવ્યું કે અઠવાડિયા પહેલા મહિલાનું માથું ફોડી નાખ્યું હતું આ બાબતે ભારે બબાલ થઈ હતી અને માફીના અંતે પોલીસ ફરિયાદ થઈ ન હતી પરંતુ હવે બે પોલીસમેનના ત્રાસથી વેપારીઓની ધીરજ ખૂટી.

ધ્રોલ વેપારીઓનો રોષ : દરબાર ગરાસીયા સમાજ ખફા

ધોલના ગાંધી ચોક માં આંગડિયા પેઢી ધરાવતા દિગ્વિજયસિંહ દિલાવર સિંહ ઝાલા નામના વેપારી બીજા માળે બેઠા હતા બે જમાદાર મહિપત રમેશ સોલંકી અને નિલેશ ભીમાણી આવ્યા ને માસ બાબતે માથાકૂટ કરતા વેપારીઓએ દંડ ભરવાનું કહેવા છતાં તેને જીપમાં બેસાડી પોલીસ સ્ટેશન લઇ ઢોર માર માર્યો હતો.

ધ્રોલમાં બીજા માળે આવેલી દુકાનમાં બે પોલીસમેન ઓએ ધુશીને માસ્કના દંડ માથાકૂટ કરી વેપારીને ઢોર માર મારતા તેના ઘેરા પ્રત્યાઘાતો ધ્રોલ શહેરમાં પડ્યા છે અને વેપારીઓમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે.

આ ઘટનાની જાણ થતાં જ લાંબા સમયથી પોલીસના ત્રાસથી કંટાળીને લા વેપારીઓનો રોષ ફાટી નિકળ્યો છે અને ટોળાવ સ્વરૂપે પોલીસ સ્ટેશન પહોંચી ગયા.

બનાવની ગંભીરતાને ધ્યાને લઇ ડીવાયએસપી કુણાલ દેખાય પણ ધ્રોલ પહોંચી ગયા હતા અને વેપારીઓને આશ્વાસન આપી દોષિત PSI એમ.એન જાડેજા મહિપત સોલંકી અને નિલેશ ભીમાણી સામે ફરિયાદ લેવાની તજવીજ હાથ કરેલ છતાં વેપારીઓનો રોષ શાંત પડ્યો ન થયો.
અને પોલીસના ત્રાસ

વિરુદ્ધમાં આજરોજ ધ્રોલ બંધનું એલાન ચેમ્બર ઓફ કોમર્સ તથા તેની સલગ્ન સંસ્થાઓ દ્વારા આપવામાં આવ્યું છે.

પોલીસે પણ આ મામલાની ગંભીરતાને ધ્યાને લઇ દોષિત પોલીસમેનોં સામે ગુનો નોંધવાની તજવીજ શરૂ કરી છે.

હાલ તો વેપારીને માર મારવાના પડધા ગુજરાતભરમાં પડ્યા છે. આ બનાવે જામનગર જિલ્લા સહિત ગુજરાત ભરમાં સારી એવી ચર્ચા જગાડી છે.

NO COMMENTS

error: Copying and use of the content of the website is considered as illegal activity.
Exit mobile version