Home Devbhumi Dwarka જામનગર ”લવમેરેજ” માં પુત્રીનું અપહરણ કરનાર પિતાનો આપધાત

જામનગર ”લવમેરેજ” માં પુત્રીનું અપહરણ કરનાર પિતાનો આપધાત

0

‘લવમેરેજ’ બાદ પુત્રીનું જામનગરમાં અપહરણ કર્યા બાદ ખંભાળિયામાં પિતાએ કર્યો આપઘાત

  • પાંચ દિવસ લેવમેરેજ કરનાર પુત્રીનું પીતા અને ભાઈએ અપહરણ કર્યું હતું જેની ફરીયાદ પણ નોંધાઈ હતી તેવામાં તેણીના પિતાનો આપધાતથી ભારે અરેરાટી

દેશ દેવી ન્યુઝ જામનગર: તા.૦૭જાન્યુઆરી ૨૩ ખંભાળિયામાં શક્તિનગર વિસ્તારમાં રહેતા લખમણભાઇ મૂળજીભાઈ કણજારીયા નામના 45 વર્ષના યુવાને જામનગર ખંભાળિયા ધોરી માર્ગ પર સિક્કા નજીક પોતાની કાર ઊભી રાખ્યા પછી એકાએક ઝેરી દવા પી લેતાં તેને સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ નીપજ્યું હતું.

આ બનાવ અંગે તેની સાથે જ કારમાં બેઠેલા અને બનાવ સમયે પોતે કારમાંથી ઉતરીને જાજરૂ માટે ગયેલા તેના પુત્ર જનક લક્ષ્મણભાઈ કણજારીયાએ પરત આવીને જોતાં તેના પિતાએ ઝેરી ટીકડા ખાઈ લીધા હતા, અને તેને સારવારમાં પહોંચાડ્યા હતા, પરંતુ આખરે તેનું મૃત્યુ નીપજ્યું હતું.

જે સમગ્ર બનાવ અંગે પુત્ર જનક કણજારીયા એ પોલીસને જાણ કરતાં સિક્કા પોલીસ સ્ટેશનના પોલીસ એડ કોન્સ્ટેબલ સી.ડી. ગાંભવા એ મૃતદેહ નો કબજો સંભાળી પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે મૃતક લખમણભાઇ ની પુત્રી એ છ મહિના પહેલાં જામખંભાળિયાના રાજુ વિઠલાણી નામના યુવાન સાથે પ્રેમ લગ્ન કરી લીધા પછી જામનગર રહેવા માટે આવી ગઈ હતી. જે પ્રેમ લગ્ન લખમણભાઇ અને જનક ને પસંદ ન હોવાથી તેઓ 1 જાન્યુઆરી ના દિવસે જામનગર આવ્યા હતા, અને પોતાની પુત્રી નું બળજબરીપૂર્વક અપહરણ કરીને ખંભાળિયા લઈ ગયા હતા.

જેઓ સામે જામનગરના સીટી સી. ડિવિઝન પોલીસ મથકમાં પુત્રીનું અપહરણ કરી જવા અંગે તેમ જ તેની સાસુને માર મારી પૂરી દેવા અંગેનો પણ ગુનો નોંધાયો છે. જામનગર થી પોલીસ નો અપહરણ ની ફરિયાદ અંગેનો ટેલીફોનિક સંદેશો મળતાં તેમણે તુરત જ બીજા દિવસે પોતાની પુત્રીને જામનગર પ્રેમી પતિ પાસે મોકલાવી દીધી હતી. ત્યારબાદ તેઓ પોતે ખૂબ જ ગુમ રહેતા હતા, અને ગઈકાલે પુત્ર જનક સાથે કારમાં બેસીને જામનગર આવી રહ્યા હતા. દરમિયાન માર્ગમાં ઝેરી ટીકડા ખાઈને મોતની સોડ તાણી હતી. આ બનાવને લઈને ભારે ચકચાર જાગી છે.

NO COMMENTS

error: Copying and use of the content of the website is considered as illegal activity.
Exit mobile version