Home Gujarat Jamnagar જામનગરમાં બ્રાસપાર્ટના કારખાનેદારનો આપધાત

જામનગરમાં બ્રાસપાર્ટના કારખાનેદારનો આપધાત

0

જામનગરના મયુર ગ્રીન્સ વિસ્તારમાં રહેતા બ્રાસપાર્ટના કારખાનેદારનો આર્થિક સંકટના કારણે ગળા ફાંસા દ્વારા આપઘાત

  • કારખાના ના ધંધા માટે લીધેલી લોન ના હપ્તા ભરપાઈ નહીં કરી શકતાં આર્થિક સંકડામણના કારણે ભરેલું અંતિમ પગલું

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૨૩ ઓક્ટોબર ૨૩ જામનગરમાં મયુર ગ્રીન્સમાં રહેતા અને દરેડમાં કારખાનું ધરાવતા એક બ્રાસપાર્ટના કારખાને દારે આર્થિક ભીંસના કારણે ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લીધી છે. પોતે લીધેલી લોન ના હપ્તા ભરપાઈ નહીં કરી શકતાં આ પગલું ભર્યાનું પોલીસમાં જાહેર થયું છે. આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં મયુર ગ્રીન્સ શેરી નંબર પાંચ માં રહેતા અને દરેડ વિસ્તારમાં કારખાનું ધરાવતા લક્ષ્મણભાઈ લવજીભાઈ જાદવ નામના ૫૯ વર્ષના કારખાનેદારે આર્થિક ભીંસ ના કારણે ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લઇ પોતાની જિંદગી ટૂંકાવી છે.મૃતકના પુત્ર ગૌરવ લક્ષ્મણભાઈ જાદવે પોલીસને જાણ કરતાં સીટી એ ડિવિઝન પોલીસ મૃતદેહ નો કબજો સંભાળી પોસ્ટ મોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસમાં જાહેર કરાયા અનુસાર મૃતક કારખાને દારે પોતાના ધંધાની જરૂરિયાત માટે જુદી જુદી ત્રણ બેંકમાંથી લોન લીધી હતી. જેના હપ્તા ભરપાઈ કરી નહીં શકતાં આ પગલું ભરી લીધાનું જાહેર થયું છે. જે મામલે પોલીસ વધુ તપાસ ચલાવે છે.

NO COMMENTS

error: Copying and use of the content of the website is considered as illegal activity.
Exit mobile version