Home Gujarat Jamnagar જામનગરમાં ૧૯ વર્ષની અપરણીત યુવતીનો આપધાત

જામનગરમાં ૧૯ વર્ષની અપરણીત યુવતીનો આપધાત

0

જામનગર નજીક ઢીંચડા માં રહેતી ૧૯ વર્ષની અપરણીત યુવતીએ ઝેરી દવા પી લઈ મોતને મીઠું કર્યું

  • પોતાને પ્રાઇવેટ નોકરી કરવી હોવાથી પરિવારજનોએ ના પાડતાં માઠું લાગવાથી આપઘાત નું પગલું ભર્યું

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૧૮ જાન્યુઆરી ૨૪, જામનગર નજીક ઢીંચડામાં રહેતી ૧૯ વર્ષ ની અપરણિત યુવતીએ ગઈકાલે પોતાના ઘેર ઝેરી દવા પી લઇ આત્મહત્યા કરી લીધી છે. પોતાને પ્રાઇવેટ નોકરી કરવી હતી, પરંતુ ઘરના સભ્યોએ ના પાડતાં માઠું લાગવાથી આ પગલું ભરી લીધા નું પોલીસમાં જાહેર થયું છે.

આ બનાવની વિગત એવી છે કે જામનગર નજીકથી ઢીંચડા માં રહેતી મંજુલાબેન ભગવાનજીભાઈ કટેશીયા નામની ૧૯ વર્ષની અપરણીત યુવતીએ ગઈકાલે પોતાના ઘેર ઝેરી દવા પી લઇ આત્મહત્યાનો પ્રયાસ કરતાં તેને સારવાર માટે ખસેડાયા પછી તેણીનું મૃત્યુ નીપજ્યું હોવાનું જાહેર થયું હતું.
આ બનાવ અંગે પોલીસને જાણ કરાતાં બેડી મરીન પોલીસ સ્ટેશનના પોલીસ હેડ કોન્સ્ટેબલ એસ. કે. જાડેજા જી.જી હોસ્પિટલમાં દોડી ગયા હતા, અને મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટ મોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસની પૂછપરછ દરમિયાન મૃતક યુવતીને પ્રાઇવેટ નોકરી કરવી હતી, પરંતુ ઘરના સભ્યોએ ના પાડી હતી, અને જો નોકરી મળે તો સરકારી નોકરી જ કરવાની, તેવો આગ્રહ રાખ્યો હતો. તેથી તેણી ને મનમાં લાગી આવતાં આ પગલું ભરી લીધા નું જાહેર થયું છે.

NO COMMENTS

error: Copying and use of the content of the website is considered as illegal activity.
Exit mobile version