Home Gujarat Jamnagar જામનગર રામેશ્વરનગરમાં ૧૭ વર્ષના તરૂણનો આપધાત

જામનગર રામેશ્વરનગરમાં ૧૭ વર્ષના તરૂણનો આપધાત

0

જામનગરના રામેશ્વર નગરમાં રહેતા ૧૭ વર્ષના તરુણનો અગમ્ય કારણસર ગળાફાંસા દ્વારા આપઘાત

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૧૫ જૂન ૨૪ જામનગર માં રામેશ્વર નગર નજીક માટેલ ચોકમાં રહેતા ૧૭ વર્ષીય તરુણે પોતાના ઘેર કોઈ અગમ્ય કારણોસર ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લીધી છે. જે મામલે પોલીસ તપાસ ચલાવે છે.

આ બનાવની વિગત એવી છે કે જામનગરના રામેશ્વર નગર માટેલ ચોકમાં રહેતા અને કડિયા કામની છૂટક મજૂરી કરતા ધ્રુવ વસંતભાઈ ચોટલીયા નામના ૧૭ વર્ષના તરુણે ગઈકાલે પોતાના ઘેર પંખાના હુકમાં દુપટ્ટો બાંધી ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લીધી હતી.

જે બનાવ અંગે મૃતક ની માતા અનિતાબેન વસંતભાઈ ચોટલીયા એ પોલીસને જાણ કરતાં સીટી બી. ડિવિઝનના પી.એસ.આઇ આર.પી અસારી બનાવના સ્થળે દોડી ગયા હતા, અને મૃતદેહનો કબજો સંભાળી પોષ્ટ મોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે.

NO COMMENTS

error: Copying and use of the content of the website is considered as illegal activity.
Exit mobile version