જામનગર નજીક દરેડમાં રહેતા પરપ્રાંતિય પરિવારના નવ વર્ષના બાળકનો ગળાફાંસા દ્વારા આપઘાત
-
માતાએ સાયકલ ચલાવવા બાબતે ઠપકો આપતાં માઠું લાગવાથી ઉશ્કેરાયેલા બાળકે ગળે ફાંસો ખાઈ લીધો
-
બાળ માનસના બદલાતા વલણો એ ચિંતનનો વિષય છે.
દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૨૫ જુન ૨૪ , જામનગર નજીક દરેડ વિસ્તારમાં રહેતા મધ્યપ્રદેશના વતની પરપ્રાંતીય પરિવાર ના નવ વર્ષના બાળકે આજે સાંજે પોતાના ઘેર ગળાફાંસા દ્વારા આપઘાત કરી લેતાં ભારે અરેરાટી ફેલાઈ છે. માતાએ સાયકલ ચલાવવા બાબતે ઠપકો આપતાં માઠું લાગવાથી ઉશ્કેરાયેલા બાળકે ગળાફાંસા દ્વારા પોતાનો જીવ દીધો હતો.