Home Gujarat Jamnagar જામનગર માં ૯ વર્ષના બાળકનો આપધાત : ચિંતા સાથે ચિંતનનો વિષય

જામનગર માં ૯ વર્ષના બાળકનો આપધાત : ચિંતા સાથે ચિંતનનો વિષય

0

જામનગર નજીક દરેડમાં રહેતા પરપ્રાંતિય પરિવારના નવ વર્ષના બાળકનો ગળાફાંસા દ્વારા આપઘાત

  • માતાએ સાયકલ ચલાવવા બાબતે ઠપકો આપતાં માઠું લાગવાથી ઉશ્કેરાયેલા બાળકે ગળે ફાંસો ખાઈ લીધો

  • બાળ માનસના બદલાતા વલણો એ ચિંતનનો વિષય છે.

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૨૫ જુન ૨૪ , જામનગર નજીક દરેડ વિસ્તારમાં રહેતા મધ્યપ્રદેશના વતની પરપ્રાંતીય પરિવાર ના નવ વર્ષના બાળકે આજે સાંજે પોતાના ઘેર ગળાફાંસા દ્વારા આપઘાત કરી લેતાં ભારે અરેરાટી ફેલાઈ છે. માતાએ સાયકલ ચલાવવા બાબતે ઠપકો આપતાં માઠું લાગવાથી ઉશ્કેરાયેલા બાળકે ગળાફાંસા દ્વારા પોતાનો જીવ દીધો હતો.આ બનાવની વિગત એવી છે કે મૂળ મધ્યપ્રદેશના વતની અને હાલ જામનગર નજીક દરેડમાં રહેતા અને મજૂરી કામ કરતા કોમલ કુમાર જાટવ નામના પરપ્રાંતીય શ્રમિકનો નવ વર્ષનો પુત્ર લકકી કે જેણે આજે સાંજે પોતાના ઘેર ગળાફાંસા દવારા આપઘાત નો પ્રયાસ કરતાં બાળકને બેશુદ્ધ અવસ્થામાં સારવાર માટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં પહોંચાડ્યો હતો, પરંતુ ફરજ પરના તબીબે તેનું મૃત્યુ નીપજ્યું હોવાનું જાહેર કર્યું હતું.મૃતક બાળક કે જેના પિતા મધ્ય પ્રદેશ માં વતનમાં ગયા છે, જયારે તેની માતાએ સાયકલ ચલાવવા બાબતે ઠપકો આપતાં માઠું લાગવાથી ઉસકેરાટમાં આવીજઇ બાળકે ગળાફાંસો ખાઈ લીધો હતો. પરપ્રાંતિય શ્રમિક પરિવારને સંતાનોમાં એક બાળકી અને એક બાબો હતા, જે પૈકીના પુત્ર એ ગળાફાંસો ખાઈ લેતાં પરિવારમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું છે.

NO COMMENTS

error: Copying and use of the content of the website is considered as illegal activity.
Exit mobile version