જામનગર ની જેલમાં કેદી સાથે ગેરકાયદે મુલાકાત ગોઠવી આપવાનું વિવાદી પ્રકરણ : જેલર ની બદલી
દેશ દેવી ન્યુઝ જામનગર તા. પ માર્ચ ૨૫ જામનગર ની જેલ સમયાંતરે ચર્ચા ના ચાકડે ચઢતી રહે છે. તાજેતર જેલ માં રહેલા આરોપી ની ગેરકાયદે મુલાકાત કરાવવામાં ભૂંડી ભૂમિકા ભજવનાર જામનગર ના જેલર ની તપાસ ના અંતે તાકીદ ની અસર થી રાજપીપળા માં બદલી કરી નાખવામાં આવી છે.