Home Gujarat Jamnagar જામનગરનો વિચિત્ર બનાવ :સાસુ સાથે અબોલામાં પુત્રવધુનો આપધાત

જામનગરનો વિચિત્ર બનાવ :સાસુ સાથે અબોલામાં પુત્રવધુનો આપધાત

0

જામનગરના મહાવીરપાર્ક વિસ્તારમાં સાસુ સાથે અબોલાનું મનમાં લાગી આવતા પુત્રવધુએ જિંદગી ટુંકાવી

દેશ દેવી ન્યુઝ નેટવર્ક જામનગર ૧૦.જામનગરના મહાવીરપાર્ક શેરી નં. 3 શ્રીજી હોલ ખાતે રહેતા અસ્મીતાબેન નિલેશભાઇ ગોહેલ (ઉ.વ.36) ને છેલ્લા એક અઠવાડીયાથી તેમના સાસુ સાથે અબોલા હોય જે બાબતે મનમાં લાગી આવતા ગઇકાલે તેમના ઘરે મના પંખામાં સાડીના પડદા વડે જાતે ગળાફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો.

બનાવની જાણ થતા મહાવીરપાર્કમાં રહેતા નિલેશ રમણીકભાઇ ગોહેલ દ્વારા સીટી-સી માં જાણ કરવામાં આવી હતી. આ વિગતોના આધારે પોલીસ દ્વારા પ્રાથમિક કાર્યવાહી કરીને તપાસ આગળ ધપાવી છે.

NO COMMENTS

error: Copying and use of the content of the website is considered as illegal activity.
Exit mobile version