Home Gujarat Jamnagar જોડિયાના બાલંભામાં યુવતિ પર બળાત્કાર ગુજારનાર આરોપીને સજા ફટકારતી સ્પે.કોર્ટ

જોડિયાના બાલંભામાં યુવતિ પર બળાત્કાર ગુજારનાર આરોપીને સજા ફટકારતી સ્પે.કોર્ટ

0

જોડિયાના બાલંભામાં યુવતિ પર બળાત્કાર ગુજારનાર આરોપીને તકસીરવાન ઠેરવતી સ્પે.કોર્ટ.અપરાધીને 7 વર્ષની સજા તથા પોકસો કલમ 6 મુજબ 10 વર્ષની સજા અને દંડ ફટકારાયો..સરકારી વકીલ ભારતીબેન વાદીની ધારદાર દલીલો અને પુરાવાએ આરોપી શખસ આરોપી કમલેશ અમૃતપરી ગૌસ્વામીને અપરાધી સાબિત કર્યોદેશ દેવી ન્યુઝ 28.-જામનગર આ કેસની હકીકત એવી છે કે આ કામના ફરિયાદી-ભોગ બનનાર સાથે આ કામના આરોપી કમલેશ અમૃતપરી ગૌસ્વામીએ તા.11-9-18 ના રોજ બપોરના 2-15 વાગ્યે બાંલભા ગામમાં ધણચોકમાં પહોચતા આરોપીએ ભોગ બનનારને રસ્તામાં ઉભી રાખી અને બાજુમાં આવેલ વાડામાં લઇ જઇ ભોગ બનનારને કહેલ કે તુ કોઇની સાથે સગાઇ કરીશ કે લગ્ન કરીશ તો સારાવાટ નહી રહે તેમ કહી ભોગ બનનારને મોઢે હાથથી ડુચો દઇ બળજબરી પૂર્વક જબર જસ્તીથી ભોગ બનનારની મરજી વિરૂધ્ધ શરીર સંબંધ બાંધી અને આ વાત કોઇને કહીશ તો પતાવી દઇશ તેવી ધમકી આપેલ અને જતો રહેલતે બાબતની જોડિયા પોલીસ સ્ટેશનના દ.ગુ.ર.ને 18/18 થી આઇપીસી કલમ 376, 506(2), પોકસો કલમ 4,6 મુજબની ફરિયાદ કરેલ જે કેસ સ્પેશ્યલ કોર્ટમાં શ્રી કે.આર. રબારીની કોેર્ટમાં કેસ ચાલી જતા પોકસો કેસ નં.47/18માં આરોપીને તકસીરવાન ઠરાવી સજા પોકસો કલમ-4 મુજબ 7 વર્ષની સજા તથા પોકસો કલમ 6 મુજબ 10 વર્ષની સજા તથા તમામ કલમમાં રૂા.1000નો દંડ અને દંડ ન ભરે તો તમામમાં 30 દિવસની વધુ સજા તેવો હુકમ સ્પેશ્યલ કોર્ટમાં કે.આર. રબારીએ કરેલ છે. આ કેસમાં સરકારી વકીલ ભારતીબેન વાદી રોકાયેલ હતાં.

NO COMMENTS

error: Copying and use of the content of the website is considered as illegal activity.
Exit mobile version