Home Devbhumi Dwarka વાડીનારમાં જમાઈ વિર્ફ્યો : સમાધાન માટે ગયેલા સસરાને પાઈપ ફટકાર્યા

વાડીનારમાં જમાઈ વિર્ફ્યો : સમાધાન માટે ગયેલા સસરાને પાઈપ ફટકાર્યા

0

વાડીનારમાં સસરા પર હિચકારો હુમલો કરનાર જમાઇ સામે ફરિયાદ

  • પત્ની સાથે ઝઘડો થતા સસરા જમાઈને સમજાવવા ગયા ત્યારે જમાઈ સહિતના બે શખ્સોએ સસરા ઉપર લોખંડના પાઈપ વડે તુટી પડ્યા...

દેશ દેવી ન્યુઝ જામનગર ખંભાળિયા તા.21 જૂન 23: ખંભાળિયા તાલુકાના વાડીનાર ગામે રહેતા ઈકબાલભાઈ તાલબભાઈ સુંભણીયાના વાડીનાર ખાતે રહેતા જમાઈ ઈબ્રાહિમ ઉમરભાઈ ભાયાને પોતાના પત્ની સાથે ઝઘડો થયો હોય, જેથી ફરિયાદી ઈકબાલભાઈ ઈબ્રાહિમને સમજાવવા જતા આ બાબતનું મનદુ:ખ રાખી, આરોપી દ્વારા જ્યારે ફરિયાદી ઈકબાલભાઈ આશાબા પીરની દરગાહના કમ્પાઉન્ડમાં હતા, ત્યારે આરોપી ઈબ્રાહીમ ભાયા તથા તેની સાથે આવેલા હુસેન તાલબ ભાયા નામના બે શખ્સોએ એકસંપ કરી અને ફરિયાદી ઈકબાલભાઈ ઉપર લોખંડના પાઇપ તથા છરી વડે હુમલો કરીને તેમની સાથે રહેલા સાહેદ ઈમરાનને પણ લોખંડના પાઇપનો ઘા મારી, ઈજાઓ કરવા સબબ વાડીનાર મરીન પોલીસ મથકમાં ધોરણસર ફરિયાદ નોંધાવવામાં આવી છે.

જે અંગે પોલીસે આઈપીસી કલમ 323, 324, 504, 506 (2), 114 તથા જી.પી. એક્ટની કલમ મુજબ ગુનો નોંધી, આગળની કાર્યવાહી હાથ ધરી છે.

NO COMMENTS

error: Copying and use of the content of the website is considered as illegal activity.
Exit mobile version