Home Gujarat Jamnagar જામનગર ગુલાબનગરમાં જમાઇ વિર્ફ્યો : સસરા ઉપર જીવલેણ હુમલો

જામનગર ગુલાબનગરમાં જમાઇ વિર્ફ્યો : સસરા ઉપર જીવલેણ હુમલો

0

જામનગર શહેરના ગુલાબનગરમાં આઘેડ પર જમાઈ સહિતનો હુમલો થતા અફડાતફડી

  • છોડાવવા પડેલા મહિલા સહિત બેને માર્યા, ત્રણેય સામે ફરીયાદ 

દેશ દેવી ન્યુઝ જામનગર તા. ૨૦ નવેમ્બર ૨૩  જામનગર ગુલાબનગર વિસ્તારમાં રહેતી એક પરિણિતાએ તેના પિતા પર ઘારીયા-પાઇપ વડે હુમલો કરી ઇજા પહોચાડી પોતાના પર દુઃખ ત્રાસ ગુજારવા મામલે પતિ,જેઠ અને દિયર સહિત ત્રણ સામે ફરીયાદ નોંધાવી છે. પરિણિતા ત્રાસ મામલે પોલીસ મથકે ફરીયાદ કરવા ગયાનો ખાર રાખી ઘર પાસે ધસી જઈ આ હુમલો કર્યાનુ જાહેર થયુ છે.જેમાં છોડાવવા ગયેલા મહિલા સહિત બેને પણ મુંઢ ઇજાપહોચ્યાનુ બહાર આવ્યુ છે.શહેરના ગુલાબનગરમાં રહેતી ફરજાનાબેન અનવરભાઈ સીપાઈ નામની પરિણિતાએ તેણીના પિતા પર ધારીયા-પાઈપ વડે હુમલો કરી પગમાં ફ્રેકચર સહિતની ઈજા પહોચાડી તેણીના ભાભી છોડાવવા જતાં લાત મારી ઇજા પહોચાડી સળીયા વડે તેના ભાઈને ઈજા કર્યાની ફરીયાદ સીટી બી પોલીસમાં પતિ અનવર ઇસ્માઇલભાઈ સીપાઈ, અબ્બાસ ઇસ્માઇલ સીપાઈ અને મહેબુબ ઇસ્માઇલ સીપાઈ સામે નોંધાવી છે. ભોગગ્રસ્તને લગ્નજીવન – દરમિયાન પતિએ દુઃખ ત્રાસ આપી ગાળો ભાંડી લાકડી વડે માર મારી – ઘરેથી રૂપિયા લાવવા દબાણ કર્યાના મામલે પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવવા ગયાનો ખાર રાખી પતિ ઉપરાંત જેઠ અને દિયરે એકસંપ કરી આ હુમલો કર્યાનુ ફરીયાદમાં જાહેર થયુ છે.હુમલામાં ઘવાયેલા આઘેડને સારવાર અર્થે હોસ્પીટલ ખસેડાયા હતા.બનાવ મામલે પોલીસે શારીરીક માનસિક ત્રાસ અને હુમલા સહિતની કલમ હેઠળ ત્રણેય સામે ગુનો નોંધ્યો છે. આથી સીટી-બી પોલીસે IPC કલમ-૪૯૮(એ), ૩૨૫, ૩૨૪, ૩૨૩, ૫૦૪, ૧૧૪, તથા જી.પી. એક્ટ કલમ ૧૩૫ (૧) મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

NO COMMENTS

error: Copying and use of the content of the website is considered as illegal activity.
Exit mobile version