Home Gujarat Jamnagar જામનગરમાં જવેલરી શોપના સંચાલક પાસેથી છરીની અણીએ રૂા.29 હજાર પડાવી લેવા: ત્રણ...

જામનગરમાં જવેલરી શોપના સંચાલક પાસેથી છરીની અણીએ રૂા.29 હજાર પડાવી લેવા: ત્રણ શખસની ધપકડ

0

જામનગરમાં જવેલરી શોપના સંચાલક પાસેથી છરીની અણીએ રૂા.29 હજાર પડાવી લેવા: ત્રણ શખસની ધપકડ

દેશ દેવી ન્યુઝ નેટવર્ક જામનગર: જામનગરના ખોડિયાર કોલોની વિસ્તારમાં કલ્યાણ જ્વેલર્સ ના શોરૂમ ને લગતી ઓફિસ આવેલી છે.

જે ઓફિસના સંચાલક વડોદરાના વેપારી ધર્મેન્દ્રભાઈ છોટાભાઈ પટેલ ને ગત સાતમી તારીખે જામનગરના ત્રણ શખ્સોએ છરીની અણીએ ધમકી આપી અન્ય સ્થળે લઇ ગયા હતા, અને તમે અમારા વિસ્તારમાં બદકામ કરવાના ઈરાદે આવો છો, તેવું તમારા પરિવારને જાણ કરી દઈ બદનામ કરીશું તેવો ભય બતાવી છરીની અણીએ ખિસ્સામાંથી રૂપિયા 12,000 કઢાવી લીધા હતા.

ત્યાર પછી વધુ ધાક-ધમકી આપી એક એટીએમમાંથી 17 હજારની રકમ પણ ઉપડાવી લીધી હતી, અને ભાગી છૂટયા હતા. જે બનાવ અંગે ધર્મેન્દ્રભાઈ પટેલે સીટી-સી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે આઈપીસી કલમ 384,385,114,અને જી.પી.એકટ કલમ 135-1 મુજબ ગુનો નોંધ્યો હતો.

જે ત્રણેય આરોપીઓ દિવ્યરાજસિંહ અનિરુદ્ધસિંહ જાડેજા, ભાર્ગવ જીતુભાઈ સુથાર, અને રવિરાજસિંહ દિલીપસિંહ જાડેજા નામના ત્રણ શખ્સોની અટકાયત કરી લઇ ઉપરોક્ત બનાવવા મામલે ઉંડાણપૂર્વકની પૂછપરછ શરૂ કરી છે.

NO COMMENTS

error: Copying and use of the content of the website is considered as illegal activity.
Exit mobile version