Home Gujarat Jamnagar જામનગર શંકર ટેકરીમાં માતા પુત્રને તિક્ષણ હથીયારો ઝીંકાયા : 7 સામે ગુનો...

જામનગર શંકર ટેકરીમાં માતા પુત્રને તિક્ષણ હથીયારો ઝીંકાયા : 7 સામે ગુનો નોંધાયો

0

જામનગર નાં શંકર ટેકરી વિસ્તાર માં રહેતા માતા-પુત્ર ઉપર તલવાર- છરી- પાઇપ- હથોડી વડે હુમલો

  • આરોપી :- (૧) હાજી અયુબ ખફી (૨) વકીબ પટણી તથા તેની સાથે બીજા પાંચ અજાણ્યા માણસો રહે.તમામ જામનગર

દેશ દેશ ન્યૂઝ જામનગર તા.૮ જુલાઈ ૨૪, જામનગરના શંકર ટેકરી વિસ્તારમાં રહેતા એક યુવાન ઉપર તલવાર વડે હુમલો કરવામાં આવ્યો હતો.. આ સમયે યુવાનને બચાવવા પડેલા તેના માતા ઉપર પણ છરી સહિત નાં હથિયાર વડે હુમલો કરી ઈજા પહોંચાડવા માં આવી હતી.આથી માતાં – પુત્ર બંને ને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવા હતા. આ બનાવવા અંગે સાત શખ્સો સામે પોલીસમાં ફરિયાદ નોંધાવાઈ છે.

જામનગરમાં શંકર ટેકરી નવી નિશાળ વિસ્તારમાં રહેતા નાઝીર ઉર્ફે નાઝલો નુરમામદ ઘોઘા (૨૫ ) નાં મિત્ર પ્રિન્સ કરશનભાઈ ચારેગીયા ના એ હાજી અયુબભાઇ ખફી સામે ધાક ધમકી તથા મારી નાખવાની ધમકી આપેલ જે અંગે અરજી કરેલ હતી જે બાબતે પોલીસ બોલાવેલ અને બંને વચ્ચે સમાધાન થયુ હતું.ત્યાર બાદમા રાત્રીના સાડા નવ દસ વાગ્યે નાઝિર ઉર્ફે નાઝલો કાદરીચોક શંકરટેકરી મા પોતાના સ્કૂટર ઉપર બેઠો હતો ત્યારે હાજી અયુબ ખફિ, વકીબ પટણી અને બીજા પાંચ અજાણ્યા શખ્સો ત્યાં આવ્યા હતા. અને હાજી અયુબ ખફી એ તલવાર થી અને વકીબ પટણી એ પાઇપ થી તેમજ અન્ય પાંચ અજાણ્યા શખ્સો એ લોખંડના પાઈપ તથા છરી ધોકા હથોડી સાથે નજીર ઉપર હુમલો કર્યો હતો.

દરમ્યાન મલન નઝીર નાં માતા ફુલસમબેન છોડાવવા વચ્ચે આવતાં તમને પણ કોઈ એ હાથ માં છરી નો ઘા મારતા ધસરકો થયેલ છે .તથા એની સાથેના અન્ય લોકો એ કુલ્સુમબેન ને ઢીકાપાટુનો માર માર્યો હતો.અને કહ્યું હતી કે તારા છોકરા નાઝીર ને લઇને જામનગર મુકીને ચાલ્યા જાજો નહિતર તમને બધાય ને મારી નાખીશ.

આ બનાવમાં બીજા પામનાર માતા પુત્ર બંનેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે જ્યાં આ બનાવવા અંગે નજીર ઘોઘા એ પોતાના ઉપર તથા પોતાના માથા ઉપર હુમલો કરવા અંગે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. આથી પોલીસે હાજી અયુબ ખફી અને વકીબ પટણી સહિત ના સાત સામે ગુનો નોંધી વધુ તપાસ PSI રવીરાજસિંહ ડી. ગોહિલ હાથ ધરી છે.

NO COMMENTS

error: Copying and use of the content of the website is considered as illegal activity.
Exit mobile version