ભાણવડમાં મુસ્લિમ માતા-પુત્રી-સાસુની સામૂહિક આત્મહત્યા
સાહિસ્તા ઉર્ફે સોનુ નૂરમામદ શેખ (ઉ.વ. 18)
જેનમબાનું કાસમ ખાન સરવણીયા પઠાણ (ઉ.વ.63)
નૂરજાબાનું નૂરમામદ શેખ, (ઉ.વ 42)
મૂળ જામનગરના રહેવાસી ભાણવડ આવ્યા હતા અને ભાણવડમાં જ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લેતા ધોની ના મૃત્યુ નીપજયા છે ત્યારે આ અંગે પોલીસ પણ જાણ થતાં દોડી આવી છે. ભાણવડ પંથકમાં એક જ પરિવારના દાદી થી લઇ પુત્રવધુ અને દીકરી સુધી 3 લોકોએ સાથે વખ ઘોળી સામૂહિક આપઘાત કરતા અરેરાટી વ્યાપી ગઈ છે.
હાલ ભાણવડ પોલીસ ઘટના સ્થળે પહોંચી સમગ્ર મામલે ઉંડાણ પૂર્વક તપાસ હાથ ધરી છે. સામૂહિક આપઘાત કરનાર માં જામનગરના સાહિસ્તા ઉર્ફે સોનુ નૂરમામદ શેખ (ઉ.વ. 18), જેનમબાનું કાસમ ખાન સરવણીયા પઠાણ (ઉ.વ.63) અને નૂરજાબાનું નૂરમામદ શેખ, (ઉ.વ 42) હોવાનું જાણવા મળ્યું છે.
હાલ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને સ્થાનિક પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો છે. અને માતા-પુત્રી અને સાસુના મૃતદેહને પીએમ માટે ખસેડી કયા કારણોસર સામૂહિક આપઘાતની આ ઘટના બની છે તે અંગે વધુ તપાસ હાથ ધરી છે.