Home Gujarat Jamnagar જામનગર પોલિસ દ્વારા ઈ-FIR અંગે વિદ્યાર્થી માટેનો સેમિનાર યોજાયો

જામનગર પોલિસ દ્વારા ઈ-FIR અંગે વિદ્યાર્થી માટેનો સેમિનાર યોજાયો

0

જામનગર પોલીસ જીલ્લા પોલીસ દ્વારા સરકાર દ્વારા ચાલુ કરેલ ઈ – એફ.આઈ.આર . સુવીધા અંગે વિદ્યાર્થીઓનો સેમીનાર લેવામા આવ્યો

હવે વાહનચોરી, મોબાઇલ ચોરીની ફરિયાદ ઓનલાઇન: ફરિયાદ નોંધાવા માટે પોલીસ સ્ટેશન જવાની જરૂર નહી પડે: SP પ્રેમસુખ ડેલુ

દેશ દેવી ન્યુઝ ૨૭ જુલાઈ ૨૨ જામનગર તાજેતરમાં ગુજરાત સરકાર દ્વારા આમ પ્રજાને વાહન તેમજ મોબાઈલ ચોરીના કીસ્સામા પોલીસ સ્ટેશન જવુ ન પડે અને આમ નાગરીક પોતાની ફરીયાદ ઘરે બેઠા કરી શકે તે માટે ઈ – એફ.આઈ.આર . ની સુવીધા ચાલુ કરવામા આવેલ છે. જેમાં કોઈ પ્રજાજનનો મોબાઈલ ચોરી થઈ જાય કે વાહન ચોરી થઈ જાય અને આ ચોરી કોને કરેલ છે તેની તેના માલીકને જાણ ન હોય એટલે કે આરોપી અજ્ઞાત હોય તેવા કીસ્સામાં આમ પ્રજાજન આ ઈ- FIR સુવીધાનો લાભ લઈ શકે છે અને તેના માટે તેઓએ શુ પ્રક્રીયા કરવાની છે અને આ ઈ – એફ.આઈ.આર . કેવી રીતે થઈ શકે તેની જાણકારી લોકોને મળે તે હેતુથી જામનગર જીલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ દ્વારા ધન્વન્તરી ઓડીટોરીયમ હોલ ખાતે હરીયા સ્કુલ , એસ.વી.ઈ.ટી. કોલેજ , મહીલા કોલેજ , એસ.બી.શર્મા સ્કુલ , પ્રાઈમ સ્કુલ , ડી.કે.વી.કોલેજ , આયુર્વેદીક કોલેજ ના વિદ્યાર્થીઓનો એક સેમીનાર રાખવામા આવેલ જેમા આશરે ૬૦૦ જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધેલ અને તેઓને આ સુવીધાનો લાભ તેઓ કઈ રીતે લઈ શકશે અને કેવા સંજોગોમા ઈ – એફ.આઈ.આર . થઈ શકે તેવી તમામ વિગત તેઓને સમજાવી જાણકારી પ્રેમસુખ ડેલુ સાહેબ દ્વારા આપવામા આવેલ હતી.આ કાર્યક્રમમાં અધ્યક્ષ સ્થાને જામનગર જીલ્લા પોલીસ અધીક્ષક પ્રેમસુખ ડેલુ ,નાયબ પોલિસ અધીક્ષક એમ.બી.સોલંકી , કુણાલ દેસાઈ , જયવીરસિંહ એન. ઝાલા તેમજ પોલીસ ઈન્સ એમ.જે.જલુ , કે.જે.ભોયે , કે.એલ.ગાધે તેમજ અન્ય પોલીસ અધીકારીઓ ઉપસ્થીત રહેલ હતા .

NO COMMENTS

error: Copying and use of the content of the website is considered as illegal activity.
Exit mobile version