Home Gujarat Jamnagar જામનગરમાં પાસે રોડ પહોળો કરવાની કામગીરી શરૂ

જામનગરમાં પાસે રોડ પહોળો કરવાની કામગીરી શરૂ

0

જામનગરમાં રોડ પહોળો કરવાની કામગીરીમાં અડચણ કરતા વેપારીઓ : આખરે કામ પુનઃ શરૂ

દેશ દેવી ન્યૂઝ જામનગર તા. ૧૮, મે ૨૪ જામનગરમાં રણજીત સાગર માર્ગે રોડ પહોળો કરવાની કામગીરીમાં સ્થાનિક વેપારી , દુકાનદારો દ્વારા બોલાચાલી કરી કામગીરી મા અડચણ કરતા મહાનગર પાલિકાનાં અધીકારીઓ ની ટીમ દોડી ગઈ હતી, અને કમ પુનઃ શરૂ કરાવ્યું હતું.

જામનગર મા રણજીત સાગર માર્ગે લાલપુર બાયપાસ પાસે રસ્તો પહોળો કરવાની કામગીરી મહાનગરપાલિકા દ્વારા ચાલી રહી છે. શાલિગ્રામ ગ્રામ હોસ્પિટલ પાસે ૨૦ મીટર રોડ ખુલ્લો કરવા અંગેની કામગીરી હાથ ઘરાતા સ્થાનિક લોકો. દુકાનદારો નાં ટોળા વળ્યા હતા અને કામ સામે વિરોધ પ્રદર્શિત કર્યો હતો.આ પછી સીટી ઇજનેર ભાવેશભાઈ જાની, કંટ્રોલિંગ અધિકારી મુકેશ વરણવા, એસ્ટેટ ઓફિસર નિતીન દીક્ષિત, દબાણ નિરક્ષક સુનીલ ભાનુશાળી, યુવરાજસિંહ ઝાલા, અનવર ગજણ સહિતનો સ્ટાફ હાજર દોડી ગયો હતો.

અને સ્થાનિક દુકાનદારો તેમજ વેપારીઓ સાથે શાંતિપૂર્વક ચર્ચા કરી મામલો થાળે પાડ્યો હતો અને ત્યારબાદ કામગીરી પુનઃ શરૂ કરવામાં આવી હતી.

NO COMMENTS

error: Copying and use of the content of the website is considered as illegal activity.
Exit mobile version