Home Gujarat Jamnagar મેઘપર નજીક ગોઝારા અકસ્માતમાં બે સગા દરબાર ભાઇઓના મોતથી અરેરાટી : રાજપૂત...

મેઘપર નજીક ગોઝારા અકસ્માતમાં બે સગા દરબાર ભાઇઓના મોતથી અરેરાટી : રાજપૂત સમાજમાં શોક

0

મેઘપર નજીક ગોઝારા અકસ્માતમાં બે સગા ભાઇઓના મોત

દરબાર સમાજમાં શોકની લાગણી સાથે અરેરાટી

હાઇવે ઉપર કૂતરું આડું ઉતરતા કાર પલટી: પરિવાર પર આભ તુટી પડ્યું: કારમાં સવાર અન્ય ત્રણ લોકો ઘાયલ

દેશદેવી ન્યુઝ નેટવર્ક-જામનગર
જામનગરના પડાણા પાટિયા પાસે સોમવારે બપોરે કાર આડે કૂતરું ઉતરતા સર્જાયેલ ગમખ્વાર અકસ્માતમાં બે સગાભાઈઓના મોત નિપજ્યા હતા. જ્યારે અન્ય ત્રણ વ્યક્તિઓને ઇજા પહોંચતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. બંને મૃતકો પડાણાના સરપંચના ભત્રીજા થતા હોવાનું જાણવા મળ્યું છે.મૃતક રાજદીપસિંહ ભરતસિંહ ઝાલાના ઘરે આઠ દિવસ પહેલા જ પુત્રનો જન્મ થયો હોવાનું જાણવા મળ્યું છે. જામનગર – ખંભાળિયા ધોરી માર્ગ પર આવેલ પડાણા પાટિયા નજીક આવેલ હોટેલ આશાપુરા સામે સોમવારે બપોરે પસાર થઈ રહેલા એક કાર આડે કૂતરું એકાએક આવી જતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ બનાવમાં કાર બે ત્રણ વખત પલટી મારી ગઈ હતી.

જેમાં કારમાં સવાર પાંચ વ્યક્તિઓ પૈકી રાજદીપસિંહ ભરતસિંહ ઝાલા અને પૃથ્વીસિંહ ભરતસિંહ ઝાલા નામના બે સગાભાઈઓના મોત નિપજ્યા હતા. જ્યારે અન્ય ત્રણ વ્યકિતઓને સામાન્ય ઈજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામા આવ્યા છે. મૃતક ભાઈઓ પડાણા ગામના સરપંચ પ્રવીણસિંહ ઝાલાના ભત્રીજા થતા હોવાનું જાણવા મળ્યું છે.

આ બનાવના પગલે ટ્રાફિકથી ધમધમતા આ માર્ગ પર લોકોના એકત્ર થઈ ગયા હતા અને બચાવ કામગીરી શરૂ કરી હતી. બનાવની જાણ થતાં મેઘપર પોલીસનો સ્ટાફ પણ ઘટના સ્થળે પહોંચ્યો હતો.

NO COMMENTS

error: Copying and use of the content of the website is considered as illegal activity.
Exit mobile version