મેઘપર નજીક ગોઝારા અકસ્માતમાં બે સગા ભાઇઓના મોત
દરબાર સમાજમાં શોકની લાગણી સાથે અરેરાટી
હાઇવે ઉપર કૂતરું આડું ઉતરતા કાર પલટી: પરિવાર પર આભ તુટી પડ્યું: કારમાં સવાર અન્ય ત્રણ લોકો ઘાયલ
દેશદેવી ન્યુઝ નેટવર્ક-જામનગર
જામનગરના પડાણા પાટિયા પાસે સોમવારે બપોરે કાર આડે કૂતરું ઉતરતા સર્જાયેલ ગમખ્વાર અકસ્માતમાં બે સગાભાઈઓના મોત નિપજ્યા હતા. જ્યારે અન્ય ત્રણ વ્યક્તિઓને ઇજા પહોંચતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
જેમાં કારમાં સવાર પાંચ વ્યક્તિઓ પૈકી રાજદીપસિંહ ભરતસિંહ ઝાલા અને પૃથ્વીસિંહ ભરતસિંહ ઝાલા નામના બે સગાભાઈઓના મોત નિપજ્યા હતા.
આ બનાવના પગલે ટ્રાફિકથી ધમધમતા આ માર્ગ પર લોકોના એકત્ર થઈ ગયા હતા અને બચાવ કામગીરી શરૂ કરી હતી. બનાવની જાણ થતાં મેઘપર પોલીસનો સ્ટાફ પણ ઘટના સ્થળે પહોંચ્યો હતો.