Home Gujarat Jamnagar જામનગરના લાખોટા તળાવમાં ઝંપલાવીને રાજકોટના યુવાનનો આપઘાત

જામનગરના લાખોટા તળાવમાં ઝંપલાવીને રાજકોટના યુવાનનો આપઘાત

0

જામનગરના લાખોટા તળાવમાં ઝંપલાવીને યુવાનનો આપઘાત..

જામનગરના લાખોટા તળાવમાં જયદીપ અશોકભાઈ કારીયા નામના 45 વર્ષીય યુવાને ઝંપલાવી આપઘાત કરી લીધો છે. આ ઘટનાની જાણ થતા જ 108 દ્વારા તાત્કાલિક ફાયર બ્રિગેડની મદદથી યુવાનના મૃતદેહને બહાર કાઢી પોલીસને જાણ કરવામાં આવી છે. દેશ દેવી ન્યુઝ o૭. જામનગરના જનતા ફાટક વિસ્તારમાં આવેલા મીનાક્ષી સ્કૂલ નજીક સર્વોદય સોસાયટીમાં શિવમ રેસિડેન્સી ફ્લેટ નંબર 305 માં રહેતા જયદીપભાઈ એ કયા કારણોસર આપઘાત કર્યો છે તે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરમાં પાબારી હોલ સામે આવેલા લાખોટા તળાવના પાણીમાં કોઇ યુવાનનો મૃતદેહ હોવાની જાણના આધારે ફાયર ટીમના જવાનો સ્થળ પર પહોંચી ગયા હતાં.

તળાવમાં યુવાનનો મૃતદેહ બહાર કાઢી તેની પાસેથી કારિયા જયદીપ અશોક કુમાર નામનું ફલેટ નંબર 9 વિષ્ણુ એપાર્ટમેન્ટ ડોકટર મોરી કલીનિક સામે 23-ન્યુ જાગનાથ રાજકોટના સરનામાવાળુ આધાર કાર્ડ મળી આવ્યું હતું અને ફોટો તથા એક ચીઠીમાં 305 માં શિવમ રેસીડેન્સી સર્વોદય સોસાયટી જનતા ફાટક પાસે મિનાક્ષી સ્કૂલ પાછળ જામનગર લખેલી ચીઠી મળી આવી હતી. બનાવની જાણના આધારે પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી રાજકોટના સરનામાવાળુ આધાર કાર્ડ તેમજ જામનગરના સરનામાવાળી ચીઠીના આધારે મૃતકના પરિવારજનોને જાણ કરવા કાર્યવાહી હાથ ધરી હતી.

NO COMMENTS

error: Copying and use of the content of the website is considered as illegal activity.
Exit mobile version