જામનગર કનસુમરા વિસ્તારમાં જાહેરમાં જોખમી કચરો ઠાલવવાનું કૌભાંડ પકપાયું
- 35 ટન કચરો જાહેરમાં ઠાલવાયો : પ્રદુષણ બોર્ડ આકરા પાણીએ : વડી કચેરીએ જાણ કરાઈ
- ગણતરીની ક્લોકોમાં જ કચરાનો નિકાલ કરનાર એકમને શોધી લેવાયો : વૈજ્ઞાનિક ઢબે નિકાલની લેખિત સુચના અપાઈ
દેશ દેવી ન્યુઝ જામનગર તા.૧ જુલાઇ ૨૩ જામનગરના કનસુમરા વિસ્તારમાં અનામી એકમ દ્વારા પાત્રીસટન જેટલો જોખમી કચરાનો જાહેરમાં નિકાલ હોવાનું જામનગર પ્રદુષણ વિભાગના ધ્યાનમાં આવતા વિભાગના અધિકારીઓ સહિતનો કાફલો નિકાલના સ્થળે પહોંચી ગયો હતો અને યુદ્ધના ધોરણે તપાસ આરંભી હતી.પ્રદુષણ બોર્ડ ત્રાટકતા આજુબાજુના એકમોમાં ફફડાટ વ્યાપી ગયો હતો તેવામાં કેટલાય તાળા મારી ચાલતી પકડી હતી