Home Gujarat Jamnagar જામનગરમાં રૂપાલા સામે વિરોધ યથાવત : કાળા વાવટા ફરકાવનારા ક્ષત્રિય કાર્યકરોની અટકાયત

જામનગરમાં રૂપાલા સામે વિરોધ યથાવત : કાળા વાવટા ફરકાવનારા ક્ષત્રિય કાર્યકરોની અટકાયત

0

જામનગરમાં ઔશવાળ સેન્ટરમાં યોજાયેલા ભાજપ ના પ્રદેશ અધ્યક્ષ ના પ્રવાસ કાર્યક્રમ વેળાએ ક્ષત્રિય સમાજ નું વિરોધ પ્રદર્શન

  • ઓશવાળ સેન્ટર ના દ્વારે કાળા વાવટા ફરકાવનારા ક્ષત્રિય કાર્યકરોની પોલીસ દ્વારા અટકાયત
  • પાટીલની બેઠકમાં પોલીસ વડા પ્રેમસુખ ડેલુ સહિતનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૧૨ એપ્રિલ ૨૪ જામનગર શહેરમાં ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલ ના યોજાયેલા બુથ સંમેલનના કાર્યક્રમના મુખ્ય ગેઇટ પાસે ક્ષત્રિય અગ્રણીઓ દ્વારા વિરોધ પ્રદર્શન કર્યું હતું, અને કાળા વાવટા ફરકાવ્યા હતા. ક્ષત્રિય યુવાઓ કાર્યક્રમના સ્થળની અંદર પહોંચે તે પહેલા પોલીસ દ્વારા તમામની અટકાયત કરી લેવામાં આવી હતી.

કેટલાક કાર્યકર્તાઓએ રૂપાલા ની ટિકિટ રદ કરો, રૂપાલા હાય હાય ના નારા સાથે ઓસવાળ સેન્ટરના મેઇન રોડ પરના મુખ્ય દ્વાર પાસે માર્ગ પર બેસી ગયા હતા, તે તમામની પોલીસ દ્વારા અટકાયત કરી લેવામાં આવી છે, અને પોલીસ હેડ ક્વાર્ટરમાં લઈ જવાયા છે.

NO COMMENTS

error: Copying and use of the content of the website is considered as illegal activity.
Exit mobile version