Home Gujarat Jamnagar જામનગરના બર્ધનચોકમાં દબાણ હટાવવા માટે પોલીસ અને એસ્ટેટ શાખાની ભારે મથામણ

જામનગરના બર્ધનચોકમાં દબાણ હટાવવા માટે પોલીસ અને એસ્ટેટ શાખાની ભારે મથામણ

0

જામનગરના બર્ધન ચોક વિસ્તારમાં રેકડી- પથારાવાળા ઓ ના દબાણ હટાવવાની કાર્યવાહી માટે પોલીસ અને એસ્ટેટ શાખાની ભારે મથામણ

  • એસ્ટેટ શાખા દ્વારા ૧૦ થી વધુ રેકડી-૪૦ થી વધુ પથારા અને ૩૫ શાકભાજી ની લારી ના વજન કાંટા કબજે કરી લેવાયા: પોલીસે હાજર દંડ વસૂલ્યો

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૨૧, ફેબ્રુઆરી ૨૫ જામનગર માં બર્ધન ચોકથી માંડવી ટાવર સુધીના વિસ્તારમાં અને દિપક ટોકીઝ થી શાક માર્કેટ સુધીના વિસ્તારમાં રેકડી અને પથારા વાળાઓ ધંધો કરવા માટે ફરી પ્રયત્ન કરતાં એસ્ટેટ વિભાગ અને પોલીસ તંત્ર સતર્ક બન્યું છે ,અને ગઈકાલ સાંજે અને આજે બપોરે સુધીમાં ૧૦ થી વધુ રેકડી અને ૪૦ થી વધુ પથારા તેમજ ૩૫ થી વધુ શાકભાજીની લારી ના વજન કાંટા કબજે કરી લઇ મહાનગરપાલિકા ની કચેરીમાં તેઓનો સામાન જપ્ત કરી ને રખાયો છે. કેટલાક રેકડી- પથારાવાળાઓ અને એસ્ટેટ શાખા વચ્ચે ઘર્ષણ થઈ રહ્યું છે.જામનગર શહેરના દરબારગઢ થી બર્ધન ચોક થઇને છેક માંડવી ટાવર સુધી અને દિપક ટોકીઝથી શાક માર્કેટ થઈ દરબારગઢ સુધી ના સંપૂર્ણ એરિયામાં રેકડી-પથારાના દબાણોને દૂર કરવા માટે મહાનગરપાલિકાનું તંત્ર અને સિટી-એ ડિવિઝન પોલીસ તંત્ર સતર્ક બન્યું છે.ગઇકાલે બર્ધન ચોક વિસ્તારમાં સિટી એ. ડિવિઝન પોલીસ દ્વારા ટ્રાફિક ડ્રાઇવ યોજવામા આવી હતી, જેમાં કુલ ૪,૯૦૦ રૂપિયા નો દંડ ફટકારવામાં આવ્યો હતો. જ્યારે એસ્ટેટ વિભાગની ટીમ દ્વારા કેટલાક પથારાઓ કબજે કરી લઈ મહાનગરપાલિકાની કચેરીમાં જમા કરાવી દેવાયા હતા.આજે પણ સિટી એ. ડિવિઝન પોલીસ તથા જામનગર મહાનગર પાલિકા ની ટુકડી દ્વારા સંપૂર્ણ એરિયામાં ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે, જેના કારણે અહીંથી રેકડી પથારાવાળાઓમાં નાસભાગ થઈ છે.

NO COMMENTS

error: Copying and use of the content of the website is considered as illegal activity.
Exit mobile version