Home Uncategorized PM મોદીજીની દાઢીને લઇ વિવિધ અટકળોઃ જાણો કેમ નથી કપાવી રહ્યા દાઢી?...

PM મોદીજીની દાઢીને લઇ વિવિધ અટકળોઃ જાણો કેમ નથી કપાવી રહ્યા દાઢી? શું હોઈ શકે કારણ.? 

0

PM મોદીજીની દાઢીને લઇ વિવિધ અટકળોઃ જાણો કેમ નથી કપાવી રહ્યા દાઢી?

શું હોઈ શકે કારણ.? 

 

PM મોદીજીની દાઢીને લઇ વિવિધ અટકળ એક દિવસના લોકડાઉનને જાહેર કરવા માટે સંબોધન કર્યુ હતુ ત્યારથી લઇને હમણા સુધીના સમયમાં પીએમ મોદી જેટલી પણ વાર કેમેરા સામે આવ્યા છે.

 

સ્પષ્ટપણે જોવા મળ્યુ છે કે તેઓ દાઢી નથી કરાવી રહ્યા, તેમના દાઢી ના કરાવવા પાછળ કેટલીક અટકળો લાગી રહી છે.

 

લોકો તેને અલગ અલગ મુદ્દાઓ સાથે જોડવાના પ્રયાસો કરી હહ્યા છે.

 

પીએમ મોદીના વિરોધીઓ તેને પશ્ચિમ બંગાળના આવનાર વિધાનસભાના ઇલેકશન સાથે પણ જોડવા લાગ્યા પરંતુ તેમના દાઢી વધારવા પાછળના કારણનુ કારણ સ્પષ્ટ થઇ શકયુ નથી.

 

નિષ્ણાંતોના એક રિપોર્ટ પ્રમાણે, સ્વામી વિશ્વપ્રસંન્ના તીર્થે પીએમ મોદીની દાઢીને હવે રામ મંદિર સાથે જોડ્યુ છે અને સનાતન ધર્મની એક પરંપરાની વાત કરી છે.

 

જોકે આ કારણ કેટલુ સાચુ છે તે ચોક્કસ પ્રમાણે કહી ન શકાય, મિડીયા રિપોર્ટ્સ પ્રમાણે સ્વામીજી એ કહ્યુ કે પીએમ મોદીની દાઢી વધારવા પાછળનુ એક કારણ રામમંદિર પણ હોય શકે છે.

 

કેટલાક સમયથી રામ મંદિરનુ નિર્માણ એ બીજેપીની પ્રાથમિકતા રહી છે, ગત વર્ષે રામલલા બીરાજમાનના પક્ષમાં સુપ્રિમ કોર્ટનો ચુકાદો આવ્યા બાદ આ વર્ષેજ ઓગષ્ટમાં મોદીજીના હાથે ભૂમી પૂજન કરાવવામાં આવ્યુ હતુ

 

જો સ્વામી વિશ્વપ્રસંન્ના તીર્થની વાત સત્ય છે તો હવે સવાલ એ છે કે શુ પીએમ મોદી સાડા ત્રણ વર્ષ સુધી આ જ રીતે જોવા મળશે?

 

જો મંદિરની ડિઝાઇન કે અન્ય કોઇ બદલાવ કરવામાં આવ્યો તો આ સમય વધી પણ શકે છે તો શુ ત્યા સુધી મોદી દાઢી નહી જ કરાવે ?

 

સ્વામીજીએ કહ્યુ કે મંદિરના ભૂમિ પૂજનની સાથે જ મોદીજી મંદિરના નિર્માણને પૂરુ કરાવવા માટે  જવાબદાર છે.

 

મંદિરના નિર્માણને સુનિશ્યિત કરાવવાની જવાબદારી લીધી હોવાથી સનાતન ધર્મની પરંપરા અનુસાર તેઓ દાઢી નથી કપાવી રહ્યા.

NO COMMENTS

error: Copying and use of the content of the website is considered as illegal activity.
Exit mobile version