Home Gujarat Jamnagar વિવાદાસ્પદ ભાષણના કેસમાં ધારાસભ્ય હાર્દિક પટેલનો નિર્દોષ છુટકારો

વિવાદાસ્પદ ભાષણના કેસમાં ધારાસભ્ય હાર્દિક પટેલનો નિર્દોષ છુટકારો

0

જામનગરના ધુતારપુર-ધુળસીયા ગામે વિવાદાસ્પદ ભાષણના કેસમાં ધારાસભ્ય હાર્દિક પટેલનો નિર્દોષ છુટકારો

દેશ દેવી ન્યુઝ જામનગર: તા. ૧૦ ફેબ્રુઆરી ૨૩ જામનગર કોર્ટમાં ચાલી રહેલા વિગરમગામના ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલ સામેના કેસમાં ચુકાદો આવ્યો છે. 2017ના કેસમાં જામનગર કોર્ટમાં દલીલો પૂર્ણ થઈ હતી. જેમાં પાસ કન્વીનર અંકિત ઘેડિયા અને હાર્દિક પટેલ સામે ગુનો નોંઘાયો હતો, ત્યારે ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલ અને અંકિત ઘેડિયા નિર્દોષ જાહેર થયા છે.

આ કેસની વિગત એવી હતી કે, 4 નવેમ્બર 2017માં જ્યારે પાટીદાર આંદોલન ચાલી રહ્યું હતું તે દરમિયાન પૂર્વ પાસ નેતા હાર્દિક પટેલની આગેવાનીમાં જામનગરના ધૂળસીયામાં એક સભા યોજાઈ હતી. જે સભા શૈક્ષણિક હેતુથી મંજૂરી લીધેલી હતી અને તેમાં રાજકીય ભાષણ થતા આ મુદ્દે ફરિયાદ થઈ હતી. જેને લઇને હાર્દિક પટેલ વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યા હતો. રાજકીય ભાષણ કરવા બદલ પાસ કન્વીનર અંકિત ઘેડીયા અને હાર્દિક પટેલ સામે ગુનો દાખલ થયો હતો. જામનગર ચોથા એડી.ચીફ જૂડી.મેજીસ્ટ્રેટ એમ.ડી.નંદાણીની કોર્ટમાં ચુકાદો જાહેર કરાયો છે. આ કેસમાં હાર્દિક પટેલના વકીલ દિનેશભાઇ વિરાણી તથા રશીદભાઈ ખીરાની દલીલો ગ્રાહ્ય રાખી કોર્ટે ચુકાદો આપ્યો છે.

NO COMMENTS

error: Copying and use of the content of the website is considered as illegal activity.
Exit mobile version