Home Gujarat Jamnagar પંચેશ્વર ટાવર પાસે પરેશ ધોકીયાને થઈ ધોકાવારી: ત્રણ શખ્સ વિરૂદ્ધ ફરીયાદ

પંચેશ્વર ટાવર પાસે પરેશ ધોકીયાને થઈ ધોકાવારી: ત્રણ શખ્સ વિરૂદ્ધ ફરીયાદ

0

જામનગરમાં સામાન્ય બાબતે યુવાન ઉપર હુમલો: ત્રણ શખ્સ સામે ફરિયાદ

દેશ દેવી ન્યુઝ નેટવર્ક જામનગર: જામનગર તાલુકાના હાપામાં ક્રિષ્ના પાર્ક સોસાયટીમાં રહેતો પરેશ અરવિંદભાઈ ધોકિયા નામનો યુવાન ગત તા.8 ના રોજ રાત્રિના સમયે પંચેશ્વર ટાવરથી અપના બજાર તરફ તેના બાઈક પર આવતો હતો તે દરમિયાન પાછળથી બ્રેઝા કારના ચાલકે ઓવરટેક કરી બાઈકને સાઇડમાં દબાવી દીધું હતું

ત્યારબાદ પરેશને આંતરીને ધક્કો મારી પછાડી દઇ માથામાં તથા શરીરે માર માર્યો હતો અને સાધના કોલોનીમાં આવીને માથાકુટ કેમ કરશ ?

તેમ કહી યુવરાજસિંહ ઝાલા, બિપીન વણકર અને ઉદય નામના ત્રણ શખ્સોએ લાકડી અને લાકડાના ધોકા વડે આડેધડ માર મારી ઈજા પહોંચાડી હતી અને ધમકી આપી હતી કે હવે સાધના કોલોનીમાં બીજીવાર દેખાઈશ તો પતાવી દઈશું.

હુમલામાં ઘવાયેલા યુવાનને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં બનાવની જાણ થતા હેકો એસ.એ. દાતણિયા તથા સ્ટાફે પરેશ ધોકિયાના નિવેદનના આધારે ત્રણ શખ્સો વિરુધ્ધ ગુનો નોંધી ધરપકડ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.

NO COMMENTS

error: Copying and use of the content of the website is considered as illegal activity.
Exit mobile version