Home Gujarat Jamnagar જામ્યુકોની એડવાન્સ ટેક્સ રિબેટ યોજનાને હવે ફક્ત ૩ દિવસ બાકી રહયા

જામ્યુકોની એડવાન્સ ટેક્સ રિબેટ યોજનાને હવે ફક્ત ૩ દિવસ બાકી રહયા

0

જામનગર મહાનગપાલિકા ની એડવાન્સ ટેક્સ રિબેટ યોજના ને હવે ફક્ત ૩ દિવસ બાકી રહયા

  • ૪૩૪૩૩ આસામીઓ એ યોજનાનો લાભ લીધો: મનપા ને રૂ.૨૯.૩૩ કરોડ ની આવક મળી

દેશ દેવી ન્યૂઝ જામનગર તા. ર૮ મે ૨૪ જામનગર મહાનગરપાકિાની રિબેટ યોજનાને હવે ફક્ત ૩ દિવસ બાકી રહ્યા છે, ત્યારે બાકી આસામીઓ આ યોજનાનો લાભ મેળવે તેવી અપીલ કરવામાં આવી છે. અત્યાર સુધીમાં ૪૩,૪૩૩ લોકોએ રૂ. ર૯ કરોડ ૩૩ લાખની રકમ ભરપાઈ કરી છે.

જામનગર મહાનગર પાલિકા દ્વારા મિલકતવેરા/ પાણી ચાર્જમાં ૧૦ થી રપ ટકા સુધીનું રિબેટ આપવાની યોજના અમલમાં છે. જેની મુદ્ત તા. ૩૧ મે ર૦ર૪ ના પૂર્ણ થઈ રહી છે. તા. ૧૬-૪-ર૦ર૪ થી ગઈકાલ સુધીમાં જામનગરમાં ૪૩,૪૩૩ લોકોએ આ યોજનાનો લાભ મેળવ્યો છે અને તેનાથી મહાનગરપાલિકાને રૂ. ર૯.૩૩ કરોડની આવક મળી છે, અને રૂ. ૩.ર૧ કરોડનું રિબેટ આપવામાં આવ્યું છે.

હવે આ યોજનાને પૂર્ણ થવામાં છેલ્લા ૩ દિવસ બાકી છે. આથી આસામીઓએ સત્વરે પોતાની મિલકતનો વેરો ભરપાઈ કરી આપવા અનુરોધ કરવામાં આવ્યો છે.
વર્ષ ર૦૦૬ પહેલાની રેન્ટ બેઈઝ મુજબ મિલકત વેરા અને પાણી ચાર્જમાં ૧૦૦ ટકા વ્યાજ માફી અને વર્ષ ર૦૦૬ પછી કારપેટ બેઈઝ આધારીત મિલકતવેરા-પાણી ચાર્જ માં પ૦ ટકા વ્યાજ માફ યોજના હાલ અમલમાં છે. આ યોજના નો પણ લાભ લેવા આસી. કમિશનર (ટેક્ષ) જીગ્નેશ નિર્મળએ અનુરોધ કર્યો છે.

NO COMMENTS

error: Copying and use of the content of the website is considered as illegal activity.
Exit mobile version